Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાશિવરાત્રી 2023- ઘરે કેવી રીતે બનાવીએ પાર્થિવ શિવલિંગ, જાણો પૂજા વિધિ, નિયમ અને મોટા લાભ

Webdunia
શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (16:59 IST)
Mahashivratri 2023- જીવનથી સંકળાયેલા કષ્ટ્ને દૂર અને કામનાઓને પૂરા કરવા માટે પાર્થિવ શિવલિંગની પૂજા ક્યારે, કેવી રીતે અને ક્યા કરવી જોઈએ. 
 
સનાતન પરંપરામાં ભગવાન શિવની અનેક રીતે પૂજા કરવામાં આવે છે. કેટલાક તેની મૂર્તિની પૂજા કરે છે તો કેટલાક શિવલિંગની પૂજા કરે છે. શિવલિંગમાં પણ તેમની અનેક રીતે પૂજા કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કોઈ પથ્થરના શિવલિંગની પૂજા કરે છે, જ્યારે કોઈ સ્ફટિકના શિવલિંગની પૂજા કરે છે. આવા કેટલાક લોકો સોના, ચાંદી, પિત્તળ અને પારદ વગેરેથી બનેલા શિવલિંગની પૂજા પણ કરે છે, પરંતુ આ બધા શિવલિંગમાં પાર્થિવ શિવલિંગની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ભગવાન શિવ તરફથી ઇચ્છિત વરદાન મળે છે. આવો જાણીએ શું છે પાર્થિવ પૂજા અને મહાશિવરાત્રિ પર તેને કરવાથી શું ફાયદો થાય છે.
 
પાર્થિવ શિવલિંગની પૂજા કેવી રીતે કરીએ છે 
મહાશિવરાત્રીના પાવન અવસર પર ભગવાન શિવની પાર્થિવ પૂજા માટે સૌથી પહેલા કોઈ પવિત્ર સ્થાન જેમ કે ગંગા કાંઠેની માટી લો અને તેમાં થોડુ ગાયનુ ગોબર ગોળ, માખણ અને ભસ્મ ભેળવીને શિવલિંગ બનાવો. ઘરમાં બનેલા આ પાર્થિવ શિવલિંગની સાઈઝ હંમેશા તમારા અંગુઠાની સાઈઝ જેટલી જ રાખો. પાર્થિવ શિવલિંગ બનાવ્યા બાદ તેની વિધિ-વિધાન પ્રમાણે પૂજા કરો અને આરતીના અંતે રૂદ્રાભિષેક કરો.  
 
પાર્થિવ શિવલિંગની પૂજાના લાભ 
હિં દુ માન્યતા મુજબ કળયુગમાં પાર્થિવ શિવલિંગની પૂજા ખૂબજ શુભ અને કલ્યાણકારી ગણાઈ છે. માન્યતા છે કે પાર્થિવ પૂજા કરવાથી માણસના તમામ પાપો દૂર થઈ જાય છે અને તે તમામ સુખ ભોગવે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. મહાશિવરાત્રિ પર પાર્થિવ પૂજા કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે અને ધન, સુખ, સૌભાગ્ય અને સ્વાસ્થ્યની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. પાર્થિવ શિવલિંગની પૂજા કરનાર શિવભક્તને જીવનમાં અકાળ મૃત્યુનો ભય રહેતો નથી.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments