Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maha Shivratri 2022: મહાશિવરાત્રિના દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલ

Webdunia
સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (23:53 IST)
દેવોના દેવ મહારાજને પ્રસન્ન કરવા અને તેમની પૂજા-આરાધના માટે શિવરાત્રિના દિવસે સૌથી શુભ માનવામા આવે છે. આ કારણે શિવ ભક્ત આ દિવસે આખુ વર્ષ રાહ જુએ છે. આ દિવસને મહાશિવરાત્રિ ( Maha Shivratri 2022 )ના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દરેક વર્ષ ફાગણ મહિનનઈ કૃષ્ણ પક્ષની કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર આ પર્વને ધૂમધામથી આખા દેશમાં ઉજવાય છે. એવુ કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવ અને મા પાર્વતી ( Shiv-parvati vivah )ના વિવાહ સંપન્ન થયો હતો. આ ખુશીમાં શિવ અને મા પાર્વતીના ભક્ત આ દિવસને એક તહેવારના રૂપમાં સેલિબ્રેટ કરે છે.  આ દરમિયાન શિવ ભક્ત તેમને અનેક પ્રકારની વસ્તુઓનો ભોગ લગાવે છે અને ભક્તિમાં શિવ પાર્વતી માટે વ્રત પણ રાખે છે. 
 
આમ તો આ દિવસે પૂજા માટેના નિયમોનું પાલન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે કંઈપણ ખોટું કરવું અશુભ છે અને તેમ છતાં પણ કેટલાક લોકો ભૂલો કરે છે. અમે તમને બતાવી રહ્યા છીએ કે મહાશિવરાત્રીના દિવસે કઈ ભૂલો ન કરવી જોઈએ.
 
દાન ન કરવુ 
 
ઘણી વખત લોકો પૂજાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે, પરંતુ આ પવિત્ર દિવસે ઘરે આવતા સાધુઓને ખાલી હાથ પાછા ફરે છે. શાસ્ત્રો અનુસાર આ પવિત્ર દિવસે દાન કરવું ખૂબ જ શુભ હોય છે. જો તમે ઈચ્છો તો મંદિરમાં જઈને દાન પણ કરી શકો છો. આ દિવસે દાન કરવું તમારા અને તમારા પરિવાર માટે ઘણું સારું સાબિત થઈ શકે છે
 
નવા કપડાં ફરજિયાત નથી
કહેવાય છે કે આ દિવસે પૂજા માટે નવા કપડા પહેરવા ફરજીયાત નથી, પરંતુ તમે જે કપડાં પહેરવા જઈ રહ્યા છો તે ભૂલથી પણ ગંદા ન હોવા જોઈએ. કોઈપણ દેવી-દેવતાની પૂજા કરતી વખતે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે તમે ધોયેલા કપડા પહેરી શકો છો. કોશિશ કરો કે કપડું લાલ રંગનું હોવું જોઈએ, કારણ કે આ દિવસ ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્નની ખુશીમાં ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં લગ્ન માટે લાલ રંગને શુભ માનવામાં આવે છે.
 
મેકઅપ ન કરો 
 
ઘણી સ્ત્રીઓ આ દિવસે મેકઅપ પહેરીને પૂજા કરવા જાય છે. ભલે મેકઅપ કરવું સારું માનવામાં આવે છે, પરંતુ કહેવાય છે કે આ દિવસે પૂજા કરતી મહિલાઓએ મેકઅપ કરવાથી બચવું જોઈએ. પૂજામાં તમે જેટલી સરળ રીતે ધ્યાન કરશો તેટલું જ તે શુભ માનવામાં આવે છે..
 
ચઢાવેલી સામગ્રી 
 
બહુ ઓછા લોકો જાણે છે કે ભગવાન શિવને ચઢાવવામાં આવેલી વસ્તુઓ ન ખાવી જોઈએ. કહેવાય છે કે આ યોગ્ય નથી. એવું માનવામાં આવે છે કે ચઢાવવામાં આવેલી સામગ્રીનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે. ઘણીવાર લોકો દર વખતે આ ભૂલનું પુનરાવર્તન કરે છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

આગળનો લેખ
Show comments