Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shiv Mantra Om Namah Shivay : ૐ નમ: શિવાયનો જાપ તમારા અહંકાર અને શત્રુઓને કરશે શાંત, જાણો તેનુ મહત્વ અને અર્થ

Webdunia
મંગળવાર, 5 માર્ચ 2024 (13:46 IST)
shiva

 
ઓમ નમ: શિવાય મંત્ર તમારા અહંકાર અને શત્રુઓને શાંત કરે છે. 
સનાતન ધર્મમાં વૈદિક મંત્ર ૐ નમ: શિવાયનુ ખાસ મહત્વ છે. 
ૐ નમ: શિવાયના જાપથી જીવનના મોટાથી મોટા કષ્ટોને ખતમ કરી શકાય છે. 
 
  Benefit Of Om namah Shivay: સનાતન ધર્મમાં વૈદિક મંત્ર ૐ નમ શિવાયનુ ખાસ મહત્વ છે. એવુ કહેવાય છે કે આના જાપથી જીવનના મોટામા મોટા કષ્ટ ખતમ કરી શકાય છે. ભલે તે શારીરિક હોય કે પછી માનસિક્ આ ફક્ત એક મંત્ર નથી, આ એક શુભ્રતાનુ પ્રતિક છે. આ મંત્રનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. જેની શોધ કરવી ખૂબ જ મુશ્કેલ છે. 
 
હકીકતમાં ભારતમાં ૐ નમ: શિવાયથી વધુ પ્રસિદ્ધ મંત્ર વિશે વિચારવુ પણ મુશ્કેલ છે. તો ચાલો આ મંત્ર વિશે વિસ્તાર પૂર્વક જાણીએ. 
 
ૐ નમ: શિવાયનો અર્થ 
ૐ બ્રહ્માંડથી પહેલા, કંપન અને શુદ્ધ અસ્તિત્વથી શૂન્ય હતુ. કંપનથી ઓમ ની ધ્વનિ નીકળી અને પછી બ્રહ્માંડનુ નિર્માણ થયુ. 
 
નમ:  નો અર્થ છે નમવુ 
 
શિવાય - આનો અર્થ છે શિવ કે આંતરિક સ્વ. 
 
 સામાન્ય રીતે ૐ નમ: શિવાયનો અર્થ હુ શિવને નમન કરુ છુ. એક રીતે આ મંત્રનો અર્થ છે ખુદને નમ કરવુ કારણ કે શિવ બધાની અંદર પોતાની ચેતનાના રૂપમાં વિરાજમાન છે. 
 
ૐ નમ: શિવાયનુ મહત્વ 
ધાર્મિક માન્યતાઓ મુજબ ઓમ નમ: શિવાય મંત્ર તમારા અહંકાર અને શત્રુઓને શાંત કરે છે.  આ તમને યોગ્ય રસ્તો બતાવે છે અને તમારા મનમાંથી ચિંતાને ઓછી કરે છે. માન્યતા તો એ પણ છે કે આ મંત્ર નકારાત્મક ગ્રહોના હાનિકારક પ્રભાવોને ઓછા કરવામાં પણ સહાયક છે. 
 
આવામાં આ મંત્રનો જાપ કરવો એક વરદાનની જેવો છે. જે લોકો તેનો રોજ જાપ કરે છે તેમને તેના અદ્દભૂત પરિણામ જોવા મળે છે. જો તમે આ મંત્રનો જાપ કરવા માંગો છો તો સોમવાર ના દિવસે અથવા શિવરાત્રિના દિવસે તેની શરૂઆત કરો. કારણ કે સોમવારનો દિવસ સંપૂર્ણ રીતે શિવજીને સમર્પિત છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારથી પરેશાન છો ? સૂતા પહેલા આ ઘરેલું ઉપાયો અજમાવો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments