Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્રની જનતા બેઈમાન નથી, પરિણામમાં કંઈક તો ગડબડ છે, ચૂંટણી પરિણામો પર સંજય રાઉતનો મોટો આરોપ

Webdunia
શનિવાર, 23 નવેમ્બર 2024 (11:38 IST)
Maharashtra Election Result: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ સામે આવી રહ્યા છે. રાજ્યમાં 288 વિધાનસભા સીટો માટે થયેલ ચૂંટણીમાં ભાજપાના નેતૃત્વવાળી મહાયુતિ પ્રચંડ બહુત મેળવીને આગળ વધી રહી છે.  હવે આ ચૂંટણી પરિણામને જોઈને શિવસેના યૂબીટી  નેતા સંજય રાઉત ભડકી ગયા છે.  તેમણે પરિણામ પર સવાલ ઉભા કરતા કહ્યુ કે ચૂંટણીમાં કંઈક તો ગડબડ છે.  તેમણે સ્પષ્ટ રૂપે કહી દીધુ છે કે તેમને પરિણામ મંજૂર નથી. સંજય રાઉતે કહ્યુ કે મહારાષ્ટ્રની જનતાને પણ આ પરિણામ કબૂલ નહી રહે. 

<

#WATCH | Mumbai | As Mahayuti has crossed halfway mark in Maharashtra, Shiv Sena UBT leader Sanjay Raut says, "This cannot be the decision of the people of Maharashtra. We know what the people of Maharashtra want..." pic.twitter.com/X2UgBdMOCH

— ANI (@ANI) November 23, 2024 >
 
કપટ કારિસ્તાની કરવામાં આવી - સંજય રાઉત 
શિવસેના યૂબીટીના નેતા સંજય રાઉતે આગળ કહ્યુ છે કે મહારાષ્ટ્રના લોકોનો નિર્ણય નથી હોઈ શકતો. અમે જાણીએ છીએ કે લોકો શુ ઈચ્છે છે.  સંજય રાઉતે કહ્યુ કે બે દિવસ પહેલા ગૌતમ અદાણી વિરુદ્ધ લાંચ કેસમાં વોરંટ કાઢ્યો છે. તેમા ભારતીય જનતા પાર્ટીની પોલ ખુલી ગઈ છે. જેના પરથી ધ્યાન હટાવવા માટે કપટ કારસ્તાની કરવામાં આવી છે. જેની તૈયારી પહેલાથી જ ચાલી રહી છે. મહારાષ્ટ્ર મુંબઈ ગૌતમ અદાણીના ખિસ્સામાં જઈ રહ્યુ છે અને અમે તેનો વિરોધ કર્યો છે. તેથી આવા પરિણામ મહારાષ્ટ્ર પર થોપવામાં આવ્યુ છે.  
 
પરિણામમાં ગડબડી છે - સંજય રાઉત 
સંજય રાઉતે કહ્યુ છે કે જનતાનો નિર્ણય હોઈ જ નથી શકતો. તેમનુ મન અમને ખબર છે. સંજય રાઉતે આગળ કહ્યુ કે લોકસભા ચૂંટણીના સમયે પણ અમારે માતે વધુ સારુ થવાનુ હતુ પણ અમારી 4-5 સીટો ચોરી કરવામાં આવી હતી. સંજય રાઉતે કહ્યુ કે એકનાથ શિંદે એ કહ્યુ હતુ કે તેમનો એકપણ સીટિંગ ધારાસભ્ય નહી પડે. આ કયો વિશ્વાસ છે. 
 
પરિણામ મંજુર નથી - સંજય રાઉત 
સંજય રાઉતે સવાલ ઉઠાવતા કહ્યુ કે 200થી વધુ સીટો કોઈને મળી શકે ખરી ? આ કયુ લોકતંત્ર છે. સંજય રાઉતે કહ્યુ કે મહારાષ્ટ્રની જનતા સાથે બેઈમાની થઈ છે. રાઉતે આગળ કહ્યુ કે આ પરિણામ મંજુર નથી અને આ જનતાને પણ મંજુર નથી. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેને 60 સીટો મળે છે અજિત પવારને 40 સીટો મળી રહી છે આ શક્ય બની જ શકતુ નથી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કિડનીમાં પથરીનું મુખ્ય કારણ બની શકે છે ખરાબ પાણી, જાણો Kidney Stone નાં અન્ય કારણો શું છે ?

J પરથી મુકવા માંગો છો પુત્ર કે પુત્રીનું નામ તો આ રહ્યા 20 યૂનિક નામ

shr letter Names for baby girl- શ્ર પરથી નામ છોકરી

શું તમને કશું પણ ખાધા પછી ગેસની સમસ્યા થઈ જાય છે? તો તરત ખાઈ લો 6 બીજ

હાર્ટ એટેકના શરૂઆતના 3 લક્ષણો શું છે? હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ આવો જાણો ?

વધુ જુઓ..

નવીનતમ

Harry Potter ફેમ એક્ટરના ઘરે આવી નાનકડી પરી, ફોટો સાથે બતાવ્યુ ક્યુટ નામ

બીયરની જેમ પોતાનુ યૂરિન પીતા હતા પરેશ રાવલ, અભિનેતાએ પોતે કર્યો ખુલાસો, ચોંકાવનારુ બતાવ્યુ કારણ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

આગળનો લેખ
Show comments