Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો લગ્નના દિવસે વરરાજા ઘોડી પર કેમ બેસે છે ?

Webdunia
ગુરુવાર, 2 મે 2019 (12:30 IST)
લગ્ન મતલબ બેંડ બાજા અને બારાત. આ સાથે જ  વરઘોડામાં ઘોડી પર સજી ધજીને બેસેલો વરરાજા.  અમે આજે આ વાત પાછળનુ રહસ્ય બતાવી રહ્યા છે કે છેવટે કેમ પોતાના લગ્નમાં વરરાજા ઘોડી પર જ બેસે છે. 
આ વાત વિચાર કરતા મુકનારી તો છે જ.  મોટાભાગના લોકો આ સવાલનો જવાબ પૂછતા કહે છે કે વરરાજા પાસે છેલ્લી તક હોય છે. જો અત્યારે ઘોડી લઈને ભાગી ગયો તો આ લગ્નના ઝંઝટથી બચી જશે. 
ઘોડી પર જ કેમ ? 
દુનિયામાં એવા પુષ્કળ જાનવર છે જેમની સવારી કરી શકાય છે. સૌથી પહેલી અને મુખ્ય વાત એ છે કે ઘોડાને શોર્ય અને વીરતાનુ પ્રતિક માનવામાં આવ્યુ છે. બીજી બાજુ ઘોડીને ઉત્પત્તિનો કારક પણ કહેવાય છે. એવુ કહેવાય છે કે ભગવાન શ્રીરામ અને ભગવાન કૃષ્ણ પણ પોતાના લગ્નના દિવસે ઘોડા પર જ આવ્યા હતા. 
 
કદાચ આ જ કારણ છે કે વરરાજાને ઘોડી પર બેસાડીને નવા જીવનની શરૂઆત કરાવવામાં આવે છે.  કદાચ ત્યારથી જ આ એક પરંપરાના રૂપમાં બની ગયુ હોય. આ ઉપરાંત બાકી બધા જાનવરોમાંથી ઘોડાને સૌથી વધુ શક્તિશાળી પણ માનવામાં આવે છે. પણ તેની સાથે જોડાયેલી એક કથા પણ સાંભળવા મળે છે જે વધુ રસપ્રદ છે. 
 
એક અન્ય માન્યતા મુજબ ઘોડી બુદ્ધિમાન, ચતુર અને દક્ષ હોય છે. તેને ફક્ત સ્વસ્થ અને યોગ્ય વ્યક્તિ જ નિયંત્રિત કરી શકે છે.  વરરાજાનુ ઘોડી પર આવવુ આ વાતનુ પ્રતિક છે કે ઘોડીની બાગડોર સાચવનારો પુરૂષ, પોતાના પરિવાર અને પત્નીની બાગડોર પણ સારી રીતે સંભાળી શકે છે . 
 
એ વાતનુ પ્રતિક છે કે ઘોડીની બાગડોર સાચવનારો પુરૂષ પોતાના પરિવાર અને બાળકોની બાગડોર પણ સારી રીતે સાચવી શકે છે. 
 
પુરાણો મુજબ જ્યારે સૂર્ય દેવની ચાર સંતાનો યમ, યમી, તપતી અને શનિ દેવનો જન્મ થયો એ સમયે સૂર્યદેવની પત્ની રૂપાએ ઘોડીનુ જ રૂપ ધારણ કર્યુ હતુ. કદાચ ત્યારથી ઘોડીને ઉત્પત્તિનો કારક માનવામાં આવ્યો છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments