Webdunia - Bharat's app for daily news and videos

Install App

સચિન અને કાંબલીના કોચ રમાકાંત આચરેકરનું 87 વર્ષની વયે મુંબઇમાં નિધન

Webdunia
ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (10:07 IST)
ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરનું 87 વર્ષની વયે બુધવારે મુંબઇમાં નિધન થઇ ગયું છે. તેમનું નિધન મુંબઈના દાદરમાં શિવાજી પાર્ક નજીક આવેલા તેમના નિવાસસ્થાને થયું છે. આચરેકર લાંબા સમયથી બિમાર હતાં. રમાકાંતના નિધનની તેમની પત્ની રશ્મી દેવીએ જાહેરાત કરી છે. તેંડુલકરને બાળપણની લઈને ક્રિકેટના ભગવાન બનાવવા આચરેકરનું મોટું યોગદાન રહ્યું છે. સચિને શરુઆતના દિવસોમાં આચરેકર પાસેથી ક્રિકેટ શીખ્યો અને તેની સાથે સાથે પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી પણ ટ્રેનિંગ લેતા હતા. આચરેકરને દ્રોણાચાર્ય એવોર્ડ અને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
આચરેકરને ક્રિકેટમાં આપવામાં આવેલા યોગદાન બદલ વર્ષ 2010માં પદ્મશ્રી અને દ્રોણાચાર પુરસ્કાર (1990મા)થી સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. રમાકાંત આચરેકરના કોચિંગમાં જ સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, સમીર દીઘે, પ્રવીણ આમરે, ચંદ્રકાંત પંડિત અને બલવિંદર સિંહ સંધૂ જેવા અનેક દિગ્ગજ ક્રિકેટરો દેશને આપ્યા. આચરેકરના નિધનના સમાચારથી ભારતીય ક્રિકેટ જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આચરેકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments