Biodata Maker

"હુ વિધવા બનીને તારી સાથે કરીશ લગ્ન", સોનમે રાજને આપ્યુ હતુ વચન, જાણો કેવી રીતે રચ્યુ મર્ડરનુ ષડયંત્ર ?

Webdunia
મંગળવાર, 10 જૂન 2025 (11:03 IST)
રાજા રઘુવંશી હત્યા કેસમાં ધરપકડ કરાયેલી સોનમની પોલીસ હવે પૂછપરછ કરી રહી છે. તેના પ્રેમી રાજ કુશવાહાની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, એક મોટો ખુલાસો થયો છે કે રાજા રઘુવંશીની હત્યાનું કાવતરું લગ્નના 5 દિવસ પછી જ ઘડવામાં આવ્યું હતું.
 
રાજા રઘુવંશી હત્યા કેસમાં પત્ની સોનમની ધરપકડ બાદ અનેક ખુલાસા થઈ રહ્યા છે. સોનમ લગ્ન પહેલા જ 'વિધવા' બનવાની યોજના બનાવી ચૂકી હતી. ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યા તેની જ પત્ની સોનમ રઘુવંશીએ તેના પ્રેમી સાથે મળીને કરી હતી. પોતાના જીવનસાથી બનાવનાર સોનમે લગ્નના 5 દિવસ પછી જ તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
 
લગ્નના પાંચમા દિવસે કાવતરું શરૂ થયું
રાજા અને સોનમના લગ્ન 11 મેના રોજ થયા. પરિવારમાં ખુશી હતી, બધું સામાન્ય લાગતું હતું. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, 16 મેના રોજ સોનમે તેના પ્રેમી રાજ કુશવાહાની સાથે મળીને રાજાને તેના માર્ગ પરથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું.
 
'વિધવા થયા પછી હું તારી સાથે લગ્ન કરીશ' - સોનમનું વચન
ઉલ્લેખનીય છે કે  રાજ કુશવાહ સોનમના પિતા માટે કામ કરતો હતો પરંતુ લગભગ 5 મહિના પહેલા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. સોનમ જાણતી હતી કે તેના પિતા હાર્ટના દર્દી છે અને જો તેણી તેના પિતાને રાજ કુશવાહ સાથે લગ્ન કરવા વિશે કહેશે, તો તેના પિતા સંમત નહી થાય.
 
લગ્નના પાંચમા દિવસે તેણીએ કહ્યું - ચાલો રાજાને મારી નાખીએ
આ પછી, સોનમે લગ્નના પાંચમા દિવસે રાજને કહ્યું કે ચાલો રાજાને મારી નાખીએ. આપણે લૂંટની આખી વાર્તા ઘડીશુ. જો હું એકવાર વિધવા થઈ જાઉં, તો પિતા તેની વિધવા પુત્રીના લગ્ન તમારી સાથે કરાવી શકે છે. આ સાંભળીને, રાજ કુશવાહ પણ સોનમની વાત સાથે સંમત થયા.
 
પોતાના હોમસ્ટેનું લોકેશન રાજને મોકલ્યું
 
સૂત્રો અનુસાર, સોનમ અને રાજ રઘુવંશી ચેરાપુંજીમાં એક હોમસ્ટેમાં રોકાયા હતા. ઘટના પહેલા આરોપીઓ પણ સોનમના હોમસ્ટેથી 1 કિમી દૂર એક હોટલમાં રોકાયા હતા. સોનમે આરોપીઓને તેના હોમસ્ટેનું લોકેશન મોકલ્યું હતું.
 
સોનમ રાજાને એક નિર્જન ડુંગરાળ વિસ્તારમાં લઈ ગઈ
 
સૂત્રો અનુસાર, 23 મેના રોજ, સોનમ ફોટોશૂટના બહાને રાજાને એક નિર્જન ડુંગરાળ વિસ્તારમાં લઈ ગઈ. ત્યાં સોનમ પોતે પાછળ રહી ગઈ અને ત્રણ યુવાનો રાજા તરફ આગળ વધ્યા. ખાલી જગ્યા મળતા જ આરોપીઓએ હત્યા કરી.
 
હત્યા પછી, તે ફિલ્મી સ્ટાઈલમાં ભાગી ગઈ
23 મેના રોજ રાજાની હત્યા કરવામાં આવી હતી અને તેજ સાંજે, સોનમ શિલોંગથી ગુવાહાટી પહોંચી. ત્યાંથી, તે ટ્રેન પકડીને વારાણસી થઈને ગાઝીપુર ગઈ. આ દરમિયાન, તેણીએ તેનો મોબાઇલ ફોન તોડી નાખ્યો જેથી પોલીસ તેને શોધી ન શકે.
 
તેનો પ્રેમી પકડાયા પછી, સોનમે હાર સ્વીકારી
તપાસ દરમિયાન, સોનમનું સીસીટીવી ફૂટેજ બહાર આવ્યું. આમાં, સોનમ આરોપી સાથે વાત કરતી જોવા મળે છે. ત્યારબાદ સીડીઆર અને કોલ ટ્રેસિંગ દ્વારા, રાજ કુશવાહનું લોકેશન ઇન્દોરમાં મળી આવ્યું અને પોલીસે તેની ધરપકડ કરી. સોનમને ખબર પડતાં જ કે રાજ કુશવાહ પકડાઈ ગયો છે, તે સમજી ગઈ કે ખેલ સમાપ્ત થઈ ગયો છે. થોડા સમય પછી, તેની પણ ધરપકડ કરવામાં આવી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Arjun Ni Chaal: અર્જુનની છાલ કઈ બિમારીમા ઉપયોગી છે ?

દૂધ, દહી કે છાશ, ઈમ્યુનિટી વધારવા માટે શું છે બેસ્ટ ?

12મા બોર્ડ પરીક્ષા- ટૉપર્સના ટૉપ ટિપ્સ

વેલેંટાઈન ડે પર પાર્ટનર આપો સરપ્રાઈઝ રોઝ પન્ના કોટા

હોઠ કેમ કડક થઈ જાય છે? ફક્ત 5 મિનિટમાં તેમને મુલાયમ બનાવવાની સરળ ટિપ્સ જાણો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

ઉદિત નારાયણ પર લાગ્યો બળજબરીથી ગર્ભાશય કાઢવાનો આરોપ, પહેલી પત્નીએ કર્યો ખુલાસો, ફરિયાદ નોંધાઈ

ગોવિંદાએ કરણ જોહરને આપી ચેતાવણી, ગોવિંદા નામ મેરા, પર ભડક્યા અભિનેતા, બોલ્યા - રજનીકાંતની જેમ બધાની વચ્ચે પ્રસાદ આપીશ

રણવીર સિંહના ઘરની વધી સિક્યોરિટી, બંદૂકધારીઓને જોઈને ગભરાયા સોસાયટી મેમ્બર, પોલીસ સુધી પહોચી વાત

આગળનો લેખ
Show comments