Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિ કુમારી - આ બહાદુર યુવતીએ પોતાના એક કાર્યથી પોતાનુ જ નસીબ બદલી નાખ્યુ

Webdunia
સોમવાર, 25 મે 2020 (19:47 IST)
1200 કિલોમીટર, માત્ર 15 વર્ષ જૂનું, માથા પર ગરમી, પિતા અને જ્યોતિ સાયકલ પર બેસીને પાછળ બેઠા. હા, તે જ્યોતિ કુમારી છે, જેના પ્રશંસક અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ પણ બની ગયા છે. જ્યોતિ તેના પિતા મોહન પાસવાનને સાયકલ પર લઈ ગઈ હતી અને લોકડાઉનમાં આશરે 1200 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. તે આઠ દિવસમાં આ અંતર કાપીને ગુરુગ્રામથી બિહારના દરભંગા પહોંચી હતી. હવે તે ટ્રેન્ડ કરી રહી છે, તે પણ ટ્વિટર પર.
 
ટ્વિટર પર #jyotikumari ટ્રેન્ડ થઈ રહ્યુ છે. લોકો તેના વિશે લખી રહ્યા છે કે જ્યોતિ એ દેશની પુત્રી છે, જેણે પિતા માટે ઉમદા કામ કરીને વિશ્વની સામે એક હિંમતવાન દાખલો બેસાડ્યો.
 
જ્યોતિએ પિતા મોહન પાસવાનને ડબલસવારીમાં બેસાડી હજારી કિલોમીટરનું અંતર કાપ્યું. તેણે કહ્યું કે, સાઇકલ ચલાવતી વખતે હું માત્ર ભગવાનને યાદ કરતી હતી, હું એક જ વિનંતી કરતી હતી કે, હું મારા પિતાને જલ્દી ઘરે લઇ જઉ. જ્યોતિ રોજ 100થી 150 કિમીનું અંતર કાપતી. રસ્તામાં તે થાકી પણ જતી. તે સાઈકલ ઊભી રાખતી અને મોઢું ધોઈ લેતી. થોડા બિસ્કીટ પોતે ખાતી અને પિતાને પણ પાણી અને બિસ્કીટ આપતી.  ઘણી વખત બાપ-દીકરી રસ્તા પર જ સુઈ જતા, અનેક મુશ્કેલીમાં પણ જ્યોતિના મનમાં ઘરે જવાની એક જ ધૂન ચાલતી હતી. 
 
બિહારથી ગુરુગ્રામના સફરમાં બાપ-દીકરી બે દિવસ ભૂખ્યા અને તરસ્યા પણ હતાં. ઘણી વખતે તેમને રસ્તા પર લોકોએ જમવાનું અને પાણી પણ આપ્યું. આ બાપ-દીકરી આખા રસ્તામાં એકબીજાની હિંમત વધારતા ગયા અને આખરે પોતાને ઘરે પહોચી ગયા. આજે જ્યોતિની બહાદુરીની દરેક વાત કરી રહ્યા છે. તેના આ હિમંતવાળા કાર્યને લીધે હવે તેનુ નસીબ બદલાય ગયુ છે. સાઈકલિંગ મહાસંઘના નિદેશક વીએન સિંહે કહ્યુ કે તેના પર સાઈકલિંગ ટ્રાયલ થશે. જો તે યોગ્ય ઠેરવાશે તો તેને ટ્રેનિંગ અને કોચિંગ મળશે. જ્યોતિ અને તેના પિતા હાલ ક્વૉરન્ટીન થયા છે. જ્યોતિને આ સફર પછી લોકો ‘શ્રવણ કુમારી’ કહીને બોલાવી રહ્યા છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Kolkata Blast: કોલકાતાના એસએન બેનર્જી રોડ પર બ્લાસ્ટ, કચરો વીણનારો થયો ઘાયલ

મોદીની ગુજરાત મુલાકાતને લઈને કર્મચારીઓની 17મી સપ્ટેમ્બરની હડતાલ હાલ મોકુફ પૂરતો સ્થગિત

સરદાર સરોવર બાંધ ઓવરફ્લો થવાથી માત્ર બે મીટર દૂર, ભરૂચ ગામમાં એલર્ટ

Suicide or Murder - કુવામાં મળી એક જ પરિવારના 4 લોકોની લાશ, સુસાઈડ કે મર્ડર... સસ્પેંસ કાયમ

પાકના ભાવથી લઈને કામકાજ સુધી ખેડૂતોની થઈ ચાંદી, મોદી સરકારે લીધા આ મોટા નિર્ણયો

આગળનો લેખ
Show comments