Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટણમાં ભાજપની રેલીમાં પાટીદાર યુવાનોએ લગાવ્યા 'ચોકીદાર ચોર હૈ'ના નારા

Webdunia
બુધવાર, 17 એપ્રિલ 2019 (15:00 IST)
અંબાજી નેળિયા ગામે ભાજપની જન સંપર્ક રેલીનો પાટીદાર યુવાનોએ વિરોધ કર્યો છે. પાટીદાર યુવાનોએ ભાજપના પ્રદેશ મંત્રી કે.સી. પટેલની હાજરીમાં 'ચોકીદાર ચોર હૈ'ના નારા લગાવ્યા છે. પાટીદારાનો વિરોધનો આ વીડિયો વાયરલ થયો છે. મંગળવારે રાત્રે જ્યારે અહીંયા પ્રચાર અર્થે ભાજપના પ્રદેશ મંત્રી કેસી પટેલની હાજરીમાં એક રેલી યોજાઈ હતી ત્યારે પાટીદાર યુવાનો દ્વારા ચોકીદાર ચોર હેના નાર લગાવવામાં આવ્યા હતા.મંગળવારે વરસાદી માહોલની વચ્ચે રાત્રે પાટણના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી માટે પાટણ લોકસભા બેઠકની જનસંપર્ક રેલી યોજાઈ હતી. રેલી જ્યારે ગામના માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે મોટી સંખ્યામાં પાટીદારોનું ટોળું આવી પહોચ્યું હતું અને તેમણે ભાજપની રેલીનો વિરોધ કર્યો હતો. એક તબક્કે વીડિયોમાં જોવા મળે છે કે સ્થાનિકો ભાજપના વાહનોને વિરોધ વચ્ચેથી આગળ લઈ જવાનો પ્રયાસ કરાવે છે. ઉલ્લેખનીય છે કે આ ગામ પાટીદાર અનામત આંદોલન વખતે પાટણમાં વિરોધનું એપી સેન્ટર રહ્યું હતું અને ત્યારબાદ લોકસભાની ચૂંટણી સમયે પણ પાટીદોરની નારાજગી જોવા મળી રહી છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments