Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના પરેશ ધાનાણીએ સ્વીકાર હાર: ભાજપને આપી શુભેચ્છા

Webdunia
ગુરુવાર, 23 મે 2019 (14:56 IST)
અમરેલી લોકસભા પર કાંટે કી ટક્કર બાદ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ હાર સ્વીકારીને જનતાનો ચુકાદો માથે ચડાવ્યો છે. આ સાથે ધાનાણીએ ભાજપના નેતાઓ તથા અમરેલી ભાજપના ઉમેદવારને ભવ્ય જીતની શુભકામના આપી છે.  પરેશ ધાનાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકોએ પુન: ભાજપને સમર્થન આપ્યું છે. એવું ન હતું કે સમસ્યા ન હતી, દેશમાં પ્રશ્નો ન હતા,  ખેડૂતોના દેવાને ‌લઈ, ભ્રષ્ટાચાર-અત્યાચારોને લઈ, લોકોમાં સમસ્યાઓ હતી. પરંતુ સમસ્યાઓને કોરાણે મૂકીને લોકોએ સરકારને પુન: સમર્થન આપ્યું છે ત્યારે સરકાર જનતાના વિશ્વાસ પર ખરી ઉતરશે એવી આશા છે.  આ સાથે કોંગ્રેસની હારના કારણો અંગે તેમણે જણાવ્યું હતું કે, અમે લોકોના મન વાચવામાં નિષ્ફળ ગયા છે. હવે અમે લોકોના મનના ઊંડાણ સુધી જશું, હારની સમીક્ષા કરશું  તથા જરૂર પડશે ત્યાં સુધારા કરશું. અમે લોકો સાથે ખભેખભો મેળવીને લોકોના પ્રશ્નોને વાચા આપશું. વિપક્ષ તરીકે અમે વધુ સક્રિય રહીને, વધુ ઉત્સાહ અને સતર્કતાથી વાચા આપશું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments