Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડાપ્રધાન મોદી રાણીપમાં, ભાજપ અધ્યક્ષ અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે

Webdunia
સોમવાર, 22 એપ્રિલ 2019 (14:22 IST)
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં દેશના વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ભાજપના નાણા મંત્રી અરૂણ જેટલી ગુજરાતમાં મતદાન કરશે. પીએમ મોદી અને અમિત શાહ બંને ગુજરાતના મતદાતા હોવાથી તેમના મતદાન કેન્દ્રો પર વિશેષ ઉત્સાહ જોવા મળશે. પ્રાપ્ત અહેવાલો મુજબ વડપ્રધાન મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં 7.30 વાગ્યે મતદાન કરશે. જ્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહ સવારે 09.30 વાગ્યે નારણપુરામાં મતદાન કરશે, ભાજપના નાણા મંત્રી અરૂણ જેટલી સવારે 9.30 વાગ્યે ચીમન ભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સવારે 9.30 વાગ્યે મતદાન કરશે તો મધ્યપ્રદેશના ગવર્નર અને પૂર્વ મુખ્ય મંત્રી આનંદી બહેન પટેલ અમદાવાદના શીલજમાં આવેલી પ્રાથમિક શાળા ખાતે સવારે 7.30 વાગ્યે મતદાન કરશે. ભાજપના અન્ય નેતાઓમાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના ગવર્નર વજુ ભાઈ વાળા રાજકોટના મતદાતા હોવાથી બંને રાજકોટ ખાતે મદાન કરશે. વજુ ભાઈ વાળા બપોરે 2.00 વાગ્યે રાજકોટની કોટેચા સ્કૂલ ખાતે મતદાન કરશે જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સવારે 8.00 વાગ્યે મતદાન કરશે. રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ કડીની સંસ્કાર ભારતી શાળામાં સવારે 10.00 વાગ્યે મતદાન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીના વયોવૃદ્ધ માતા હિરાબા પણ મતદાન કરવા જશે. હિરાબા રાયસણમાં પંચાયત ઓફિસ ખાતે બુથ નંબર 3માં સવારે 8.00 વાગ્યે મતદાન કરવા માટે જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments