Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પર ચૂંટણી પંચે પ્રચાર માટે પ્રતિબંધ લગાવ્યો

Webdunia
બુધવાર, 1 મે 2019 (13:40 IST)
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ શમી ગયાને દસ દિવસ થઈ ગયા છે અને મતદાન પૂરું થઈ ગયાને પણ સાત દિવસ થવા આવ્યા છે ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણી પર ચૂંટણીમાં પ્રચાર કરવા પર બીજી મેથી ત્રણ દિવસ માટેનો પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્યમાં ચૂંટણી પુરી થયાને એક અઠવાડિયા બાદ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પર ચૂંટણી પંચે પ્રચાર માટે પ્રતિબંધ લગાવ્યો છે. ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ સુરતના અમરોલીમાં ચૂંટણી સભા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે વિવાદિત ટિપ્પણી કરી હતી. ગુજરાતમાં કોઈ રાજકીય નેતા પર ચૂંટણી પ્રચાર માટે પ્રતિબંધ લાગ્યાનો આ પહેલો કિસ્સો બન્યો છે.ગુજરાતની બહાર ભાજપના નેતા તરીકે મોટી ઓળખ જ ન ધરાવતા જિતુ વાઘાણી પર પ્રતિબંધ મૂકીને ચૂંટણી પંચ પોતે તટસ્થ હોવાનો દંભ કરી રહ્યું છે. વાસ્તવમાં છતાંય મોડેમોડે જાગેલા ચૂંટણી પંચે તેમને પ્રચાર કરવા પર ૭૨ કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. ચૂંટણી પંચની આ કવાયત હાસ્યાસ્પદ અને ઘોડા નાસી છૂટયા પછી તબેલાને તાળું મારવા જેવી છે.ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી 3 દિવસ વારાણસીના પ્રવાસે છે. અહીં તેઓ પીએમ મોદીના સંસદીય ક્ષેત્રમાં પ્રચારનું કામ કરી રહ્યા છે. પરંતુ ચૂંટણી પ્રચાર પર 3 દિવસનો પ્રતિબંધ હોવાથી પ્રચારમાં કોઈ પ્રકારનો ભાગ નહિ લઇ શકે. ગઈકાલે સાંજે પ્રચાર પર બ્રેક લાગ્યા બાદ ગઈકાલે રાત્રે વારાણસી જીતુ વાઘાણી દિલ્હી પહોંચી ગયા હતા. પણ, પ્રચારની કોઈ કામગીરી નહિ કરી શકે. આવતીકાલે સાંજે 4 કલાક થી જીતુ વાઘાણી પર પ્રતિબંધ રહેશે. ચૂંટણી પંચના આ પ્રકારના નિર્ણયો લોકનજરમાં ચૂંટણી પંચની ગરિમાને હાની પહોંચાડનાર સાબિત થાય છે. દેશનું ચૂંટણી તટસ્થ હોવાનો દેખવા કરવામાં વિવેકભાન ભૂલીને નિર્ણય લે છે તેનો આ બોલતો પુરાવો છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments