Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mahakumbh 2025 LIVE: પોષ પૂર્ણિમાથી મહાકુંભનો પ્રારંભ, આજે થઈ રહ્યું છે પહેલું સ્નાન

Webdunia
સોમવાર, 13 જાન્યુઆરી 2025 (09:34 IST)
Mahakumbh 2025 Live: પોષ પૂર્ણિમાના શુભ અવસર પર પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત થઈ ચુકી છે. આજે લાખો ભક્તો ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવશે. હિન્દુ ધર્મના સૌથી મોટા ધાર્મિક તહેવારને લઈને ભક્તોના મનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૧૩ જાન્યુઆરીથી શરૂ થતો મહાકુંભનો પવિત્ર ઉત્સવ ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. એવું માનવામાં આવે છે કે આ મહાકુંભ ૧૪૪ વર્ષ પછી આવ્યો છે અને તેથી તેને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. મહાકુંભનું પહેલું અમૃત સ્નાન (શાહી સ્નાન) ૧૪ જાન્યુઆરીએ થશે. હિન્દુ પૌરાણિક શાસ્ત્રો અનુસાર, મહાકુંભમાં ડૂબકી લગાવવાથી વ્યક્તિના બધા પાપો ધોવાઈ જાય છે અને તેને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે.

-  મહાકુંભ વિશે પીએમ મોદીએ ટ્વિટ કર્યું
 પીએમ મોદીએ મહાકુંભ અંગે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે મહાકુંભ શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કૃતિના પવિત્ર સંગમમાં  અસંખ્ય લોકોને ભેગા કરશે.

<

A very special day for crores of people who cherish Bharatiya values and culture!

Maha Kumbh 2025 commences in Prayagraj, bringing together countless people in a sacred confluence of faith, devotion and culture. The Maha Kumbh embodies India’s timeless spiritual heritage and…

— Narendra Modi (@narendramodi) January 13, 2025 >
- સવારે 35 લાખ લોકોએ કર્યું  સ્નાન 
 પોષ પૂર્ણિમાના દિવસે આજે મહાકુંભનો પ્રારંભ થયો છે. સવારથી જ લોકોની ભીડ જામી છે. માહિતી અનુસાર,  આજે સવારે 7.30 વાગ્યા સુધીમાં 35 લાખ લોકોએ સ્નાન કર્યું છે.


- મહાકુંભમાં તરતી પોલીસ ચોકી બનાવવામાં આવી 
 
આ વખતે મહાકુંભમાં યુપી પોલીસે સંગમમાં તરતી પોલીસ ચોકી બનાવી છે.
 
- મહાકુંભમાં ઘણા સંતો નાગા સાધુ બનશે
 

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન, 3 દિવસની તપસ્યા પછી, 12 હજાર સંતો નાગા સન્યાસી બનશે. બધા અખાડાઓએ પણ આ માટે તૈયારીઓ કરી લીધી છે. મહાકુંભનું પહેલું અમૃત સ્નાન (શાહી સ્નાન) ૧૪ જાન્યુઆરીએ કરવામાં આવશે.

ગૌરીવ્રત સ્પેશ્યલ રેસીપી : ખારી ભાજીના ભજીયા

Dhanu Rashi girl Names- ન રાશિ પરથી છોકરીના નામ

શરીરમાં પ્રોટીનની ઉણપ દૂર કરે છે કુલ્થીની દાળ, ડાયેટમાં સામેલ કરશો તો થશે 5 ફાયદા

ઉપવાસ માટે શક્કરિયા ગુલાબ જામુનની રેસીપી

Rain Shayari- વરસાદના ટીપાં કંઈક એવું કહી જાય,

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

Show comments