Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી બાળવાર્તા- મિઠ્ઠુરામનો અવાજ

Webdunia
ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (07:25 IST)
એક પોપટ હતો. તેનું નામ હતુ મિઠ્ઠુરામ. તેનું ઘર હતુ એક પિંજરુ, તે જ તેની દુનિયા હતી. મિઠ્ઠુરામનો અવાજ ખૂબ સારો હતો પણ તે ફક્ત રાત્રે જ ગાતો હતો. એક રાત્રે જ્યારે મીઠ્ઠુરામ ગીત ગાઈ રહ્યો હતો ત્યારે ત્યાંથી એક ચામાચિડિયુ નીકળ્યુ. ચામાચિડિયાએ જોયુ કે મીઠ્ઠુરામનો અવાજ તો બહુ જ મીઠો છે. ચામાચિડિયાએ મીઠ્ઠુરામને પૂછ્યુ ' કેમ ભાઈ, તારો અવાજ આટલો મીઠો છે, છતાં તુ રાત્રે જ કેમ ગાય છે ? 


મીઠ્ઠુરામે તેનું કારણ  જણ ાવતા કહ્યુ કે - એક વાર જ્યારે હું જંગલમાં દિવસના સમયે ગાઈ રહ્યો હતો ત્યારે એક શિકારી ત્યાંથી નીકળ્યો. તેણે મારો અવાજ સાંભળ્યો અને તે કારણે જ મને કેદ કરી લીધો. ત્યારથી આજ સુધી હું આ પિંજરામાં કેદ છુ. આ બતાવતા મીઠ્ઠુરામ બોલ્યો કે ત્યારપછી મેં આ શીખી લીધુ છે કે દિવસમાં ગાવુ એ મુસીબતનું કારણ બની શકે છે તેથી હવે હું રાત્રે જ ગાઉં છુ. ચામાચિડિયાએ કહ્યુ કે - 'દોસ્ત આ તો તે કેદ થતાં પહેલા વિચારવું જોઈતુ હતુ.


સાચી વાત છે આપણે ઘણીવાર ભૂલો કર્યા પછી જ કશુક શીખીએ છીએ. પણ એ જરૂરી નથી કે દરેક સમયે શીખવા માટે ભૂલ જ કરવી પડે. કેટલીય વાર કોઈ કામને કરતા પહેલા જો આપણે થોડી સાવધાની રાખીએ તો ભૂલ કરવાથી બચી શકીએ છીએ અને નુકશાન પણ નથી થતુ. તેથી બાળકો હંમેશા યાદ રાખો કે બુધ્ધિમાન તે જ હોય છે જે હંમેશા સમજી વિચારીને કામ કરે છે. 

 

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મેઘતાંડવથી સુરત બેહાલ: પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, 2100 લોકોનું સ્થળાંતર અને શાળા-કોલેજોમાં રેડ એલર્ટ

21 રાજ્યોમાં આફત આવવાની છે! IMD એ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે

કેતન અગ્રવાલની હત્યામાં એક ખતરનાક ષડયંત્રનો ખુલાસો થયો છે; સિયા ગોયલે રાજા રઘુવંશી કેસમાંથી પાઠ શીખ્યો હતો

અફગાની ક્રિકેટર શાપૂર જાદરાનનુ 38 વયે નિધન, ભારતની હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

32 કિલો સોનું, 15 ક્વિન્ટલ ચાંદી અને હીરા જડિત ગળાનો હાર... રામ મંદિર વિવાદ વચ્ચે ટ્રસ્ટે ખજાનો પ્રદર્શિત કર્યો

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 જુલાઈ, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 6, 2026

Yogini Ekadashi 2026: જુલાઈમા પહેલી અગિયારસ ક્યારે છે ? જાણો તિથી, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 5, 2026

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

આગળનો લેખ
Show comments