Webdunia - Bharat's app for daily news and videos

Install App

JEE Mainના પરિણામ જાહેર, ગુજરાતના નિસર્ગ ચડ્ઢાએ ટૉપમાં સ્થાન મેળવ્યું

Webdunia
શનિવાર, 12 સપ્ટેમ્બર 2020 (08:50 IST)
JEE Main 2020નું પરિણામ શુક્રવારની રાત્રે જાહેર થયું છે અને તેમાં ગુજરાતના નિસર્ગ ચઢ્ઢાએ ટૉપમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
 
કુલ 24 ઉમેદવારો એવા છે જેમને 100 પર્સેન્ટાઇલ મળ્યા છે અને તેમાં નિસર્ગ ચઢ્ઢાનું સ્થાન સૌથી ઉપર છે.
 
JEEની પરીક્ષા ઍન્જિનિયરિંગમાં એડમિશન માટે લેવામાં આવે છે અને આ પરીક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર વચ્ચે યોજાઈ હતી.
 
આ પરીક્ષામાં આશરે 8.58 લાખ ઉમેદવારોએ આપી હતી. જેના માટે કોરોના મહામારી વચ્ચે દેશમાં 660 કેન્દ્રોમાં વ્યવસ્થા કરવામાં આવી હતી.
 
વેબસાઇટ પર પ્રાપ્ત માહિતી પ્રમાણે આ પરિણામ ઉમેદવારોની ઑલ ઇન્ડિયા રૅન્ક, NTA ટકાવારી તેમજ કટ-ઑફ સહિતની વિગતો પર આધારિત છે.
 
આ પરીક્ષા વર્ષમાં બે વખત યોજાય છે અને રૅન્કની ગણતરી ઉમેદવારોની બન્ને પરીક્ષામાંથી સારા નંબરના આધારે કરવામાં આવે છે.
 
મહત્ત્વનું છે કે કોરોના વાઇરસના કારણે JEE Main અને મેડિકલમાં પ્રવેશ માટે અપાતી પરીક્ષા NEETની તારીખ આગળ વધારવા માટે ઘણા વિરોધ પ્રદર્શન થયાં હતાં. પરંતુ સુપ્રીમ કોર્ટે તારીખ આગળ વધારવા પરવાનગી આપી ન હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments