Webdunia - Bharat's app for daily news and videos

Install App

Janmashtami પર કરો આ 10 સરળ ઉપાય, મળશે દરેક કષ્ટથી મુક્તિ

Webdunia
શનિવાર, 24 ઑગસ્ટ 2024 (01:19 IST)
Janmashtami 2024 : પ્રતિવર્ષ શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ પર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ પર્વ જન્માષ્ટમીના રૂપમાં ઉજવાય છે.  આ વર્ષે 2024માં 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવાશે. આ વખતે જયંતી યોગ, રોહિણી નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત અનેક દુર્લભ યોગ સંયોગમાં આ તહેવાર ઉજવવા જઈ રહ્યો છે. આવામાં અહી બતાવેલા 10 ઉપાય કરીને તમે બધા પ્રકારના સંકટથી મુક્તિ મેળવી શકો છો. 
 
1. માખણ મિશ્રી : જન્માષ્ટમીના દિવસે કાનુડાને માખણ મિશ્રીનો પ્રસાદચઢાવો અને 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તમારી આંગળી વડે ચટાડો.   
 
2.  હિંચકો -  આ દિવસે સુંદર રીતે શણગારેલો  હિંચકો લાવો અને તેમાં કાન્હાજીને બિરાજમાન કરો. 
 
3. ચાંદીની વાંસળીઃ આ દિવસે ચાંદીની વાંસળી લાવીને કૃષ્ણને અર્પણ કરો.  પૂજા પૂર્ણ થયા પછી, તેને તમારા પર્સમાં સાચવી રાખો. 
 
4. રાખડી : રક્ષાબંધનની જેમ આ દિવસે ભગવાન કૃષ્ણ અને બલરામજીને રાખડી બાંધો.
 
5. તુલસી - ભગવાન શ્રી કૃષ્ણની પૂજન અને ભોગ પ્રસાદીમાં તુલસીનો પ્રયોગ જરૂર કરો. 
 
6. ફૂલ - હરસિંગાર, પારિજાત કે શૈફાલીના ફૂલ શ્રીકૃષ્ણને ખૂબ જ પસંદ છે. તેથી શ્રી કૃષ્ણ પૂજનમાં તેનો પ્રયોગ જરૂર કરો. 
 
7. ફળ અને અનાજ - કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ધાર્મિક સ્થળ પર જઈને ફળ અને અનાજનુ દાન કરો. 
 
 
8. ગાય-વાછરડુ - આ દિવસે ગાય વાછરડાની નાની મૂર્તિ લાવવાથી પણ ધન અને સંતાન સંબંધી ચિંતાઓ દૂર થાય છે. 
 
9. મોરનુ પીંછુ - મોરનુ પીંછુ શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે. તેથી જન્માષ્ટમી પૂજનમાં તેને જરૂર ચઢાવો. પણ ધ્યાન રાખો કે એ મોરનુ પીછુ એ જ મોરનુ પીંછુ અર્પિત કરો જે મોરે સ્વંય જ ત્યાગી દીધુ હોય. 
 
10. શંખ - જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણના નંદલાલ સ્વરૂપના શંખમાં દૂધ નાખીને અભિષેક કરો. તેનાથી તે પ્રસન્ન થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

Gujarati Recipe- ડુંગળીની ચટણી

Air Cooler Tips: કૂલરમાંથી આવશે ઠંડી હવા, ફક્ત કપડાનો ઉપયોગ કરીને આ વાયરલ ઉપાય અજમાવો

વધુ જુઓ..

નવીનતમ

Masik Shivratri Upay: જો બગડી ગઈ છે આર્થિક સ્થિતિ, તો માસિક શિવરાત્રી પર કરો આ નાનું કામ

Shukra Pradosh Vrat 2025: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે ઘરે લાવો આ એક વસ્તુ, સદા ભરેલી રહેશે તિજોરી

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

આગળનો લેખ
Show comments