Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ હજુ પણ તમે મોબાઈલને આધાર સાથે લિંક નથી કર્યો ? તો જાણી લો કેવી રીતે કરશો

Webdunia
ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (17:59 IST)
હજુ પણ જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો જલ્દી બનાવી લો. કારણ કે હવે આધાર વગર તમારો મોબાઈલ ચાલે નહી. ઉલ્લેખનીય છે કે સરકારે મોબાઈલ નંબરને આધાર સાથે જોડવુ અનિવાર્ય કરી દીધુ છે. આધારને મોબાઈલ સાથે લિંક કરવાનો તમારી પાસે ફેબ્રુઆરી 2018 સુધીનો સમય છે. તેથી અમે તમને આધાર સાથે મોબાઈલ સિમ કાર્ડને લિંક કરવાની રીત બતાવી રહ્યા છીએ. 
 
કેમ જરૂરી છે લિંક કરવુ 
 
સરકારનુ કહેવુ છે કે આ નિર્ણય અપરાધિયો.. ષડયંત્રકારી અને આતંકવાદીઓને સામાન્ય નાગરિકોના નામે સિમનો ઉપયોગ કરવાથી રોકવા માટે છે. સાથે જ સુપ્રીમ કોર્ટે પણ આ આદેશ આપ્યો છે કે યૂઝરના વેરિફિકેશન માટે યૂઝર્સના સિમ કાર્ડને તેના આધાર સાથે લિંક કરવુ જરૂરી છે. 
 
લિંક કરવાની અંતિમ તારીખ 
 
ફેબ્રુઆરી 2018 પછી જે સિમ આધાર નંબર સાથે લિંક નહી હોય તેને ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. 
 
કેવી રીતે કરશો લિંક 
 
એક મોબાઈલ કંપનીના કસ્ટમર કેયર એક્ઝીક્યુટિવ સાથે વાતચીત મુજબ આધારને લિંક કરાવવા માટે તમારે તમારા નિકટના રિટેલર પાસે જવુ પડી શકે છે કે પછી ઓપરેટરના નિકટના સ્ટોર પર જઈને બાયોમેટ્રિક સિસ્ટમ દ્વાઅરા તમારા મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરી શકો છો. 
સ્ટેપ 1 - ઓપરેટર દ્વારા SMS મળતા જ તમારા આધાર કાર્ડને લઈને નિકટના રિટેલ સ્ટોર પર જાવ 
સ્ટેપ 2 - સ્ટોરમાં રહેલ એક્ઝીક્યુટિવ કે ડેસ્ટ પર તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ ડિટેલ આપો 
સ્ટેપ 3 - સ્ટોર એક્ઝીક્યુટિવ તમારા મોબાઈલ પર એક વેરિફિકેશન કોડ મોકલશે. જેને એક્ઝીક્યુટિવને બતાવીને કન્ફર્મ કરવો પડશે. 
સ્ટેપ 4 - ત્યારબાદ તમારા ફિંગરફ્રિંટ વેરિફિકેશન કરાવવામાં આવશે. 
સ્ટેપ 5 - 24 કલાકની અંદર તમારા મોબાઈલ પર ફાઈનલ વેરિફિકેશન કોડ આવશે. તમારે આ મેસેજનો જવાબ Yes (Y)માં આપવો પડશે. 
સ્ટેપ 6 - તમારો મોબાઈલ નંબર હવે આધાર કાર્ડ સાથે લિંક થઈ ચુક્યો છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments