Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજસ્થાન રોયલ્સની ટીમ બહાર થતા કુમાર સંગકારાનો ફુટ્યો ગુસ્સો, આ ખેલાડી દ્વારા દગો આપવાને લઈને ઉઠ્યા સવાલ

Kumar Sangakkara Sam Curra
Kumar Sangakkara Sam Curra
ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનનો બીજો ક્વોલિફાયર 29 મેના રોજ નવા ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયો હતો. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ, ગુજરાત ટાઇટન્સે મેચ 7 વિકેટથી જીતીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. હાર બાદ, રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ કુમાર સંગાકારાએ એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું, જેમાં તેમણે ઈગ્લેંડના ઓલરાઉંડર ખેલાડી સૈમ કરન જે આ સીજન સ્કવોડનો ભાગ હતો તેણે છેલ્લી ઘડીએ ઈજાનુ કારણ બતાવીને બહાર થવાને લઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

અમે ઇચ્છતા હતા કે સેમ કુરન અમારા માટે રમે 

 
રાજસ્થાન રોયલ્સે IPL 2026 સીઝન માટે સેમ કુરનને ચેન્નઈ સુપર કિંગ્સ પાસેથી ટ્રેડ કર્યો હતો. જ્યારબાદ સૌને આશા હતી કે તે આખી સીઝન રમશે.  જોકે, IPL 2026 સીઝન શરૂ થાય તે પહેલાં, સેમ કુરન ગ્રોઇન ઇન્જરીનું કારણ આપીને IPLમાંથી પોતાનુ નામ પરત લઈ લીધુ હતુ.  બીજી બાજુ તાજેતરમાં જ  સેમ કુરને ઇંગ્લેન્ડમાં રમાતા સ્થાનિક T20 ટુર્નામેન્ટ T20 બ્લાસ્ટમાં પોતાની કાઉન્ટી ટીમ, સરે માટે ત્રણ મેચ રમ્યો હતો.
 
આ અંગે, કુમાર સંગાકારાએ કહ્યું, "અમને કહેવામાં આવ્યું હતું કે સેમ કુરનને એક એવી ઇજા થઈ છે જેના કારણે તે આખી સિઝન માટે બહાર થઈ જશે. પરંતુ મેં તેને સરે માટે બે કે ત્રણ મેચ રમતા જોયો. આ બિલકુલ યોગ્ય નથી. અમે કોશિશ કરી હતી કે તે  આ સિઝનમાં અમારા માટે રમવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે અમને જાણ કરવામાં આવી, ત્યારે અમે તેના સ્થાને દાસુન શનાકાને સામેલ કરવાનો નિર્ણય લીધો. આવી બાબતોમાં કડક નિયમો હંમેશા જરૂરી છે." BCCI એ પણ આ પરિસ્થિતિઓને લઈને કડક નિયમો જાળવી રાખ્યા છે, અને ખેલાડીઓને ઈજા થવી એ  રમતનો એક ભાગ છે, અને જો ઇજા ખરેખર ગંભીર હોય, તો અમે તેને પણ સમજીએ છીએ.

અમારી ટીમ પણ ઇજાઓથી પ્રભાવિત થઈ હતી.

 
IPL 2026 સીઝનમાં, રાજસ્થાન રોયલ્સ સહિત વિદેશી ખેલાડીઓની ઇજાઓથી ઘણી ટીમો નોંધપાત્ર રીતે પ્રભાવિત થઈ હતી. આ અંગે કુમાર સંગાકારાએ કહ્યું કે શિમરોન હેટમાયર, એડમ મિલ્ને અને ક્વીના મ્ફાકા જેવા ખેલાડીઓ ટીમમાં સતત રહ્યા. આ ખેલાડીઓને રમવાની ભલે વધુ તકો મળી ન હોય, પરંતુ તેઓ સમગ્ર સિઝન દરમિયાન અમારી સાથે રહ્યા. મારું માનવું છે કે જો કરારોનું સંપૂર્ણ પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે પાલન કરવામાં આવે તો તેનો દરેકને ફાયદો થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રેગિસ્તાનમાં ઉડ્યા રેતીના ગુબાર, બીકાનેરના આકાશમાં ધૂળના ધુમાડા.. જુઓ તસ્વીરો