Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત અને લખનઉ વચ્ચે થશે ટક્કર, આવી હોઇ શકે છે બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

Webdunia
સોમવાર, 28 માર્ચ 2022 (11:16 IST)
IPL 2022 માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઇટન્સ (GT) ના નવા ખેલાડીઓ સોમવારે મેદાનમાં ઉતરશે. લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ વાનખેડે સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. IPLની મેગા ઓક્શનમાં બંને ટીમોએ ઘણા મોટા ખેલાડીઓ પર ઘણા પૈસા લગાવ્યા હતા. પ્રથમ મેચમાં આ ટીમોના સ્ટાર ખેલાડીઓ કેવું પ્રદર્શન કરશે તે જોવું રસપ્રદ રહેશે. ચાલો જાણીએ કે બંને ટીમોના ક્યા ખેલાડીઓ પ્રથમ મેચમાં રમી શકશે નહીં અને કઈ પ્લેઈંગ ઈલેવન સાથે ટીમો આઈપીએલની શરૂઆત કરશે.
 
અફઘાનિસ્તાનના વિકેટકીપર-બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝે ઇંગ્લેન્ડના બેટ્સમેન જેસન રોયની જગ્યા લીધી છે, જેમણે બાયો-બબલ થાકને કારણે પોતાનું નામ પરત લીધું હતું. જ્યારે ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ રમી રહેલો વેસ્ટ ઈન્ડિઝનો ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફ સુપર જાયન્ટ્સ સામેની પ્રથમ મેચ રમી શકશે નહીં.
 
ફાસ્ટ બોલર માર્ક વૂડને વેસ્ટ ઈન્ડિઝના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજા થવાને કારણે 2022ની સિઝનમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના એન્ડ્રુ ટાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેસન હોલ્ડર અને કાયલ મેયર્સ IPLના પ્રથમ સપ્તાહ પછી જ હાજર રહેવાની આશા છે, કારણ કે તેઓ ઈંગ્લેન્ડ સામે વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ ટીમનો ભાગ છે. તેઓ સુપર જાયન્ટ્સની પ્રથમ બે મેચ ચૂકી જશે. માર્કસ સ્ટોઈનિસ, જે પાકિસ્તાન પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની સફેદ બોલ ટીમનો ભાગ હતો, તે ત્રીજી મેચમાં પણ રમી શકશે નહીં.
 
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, રહેમાનુલ્લા ગુરબાઝ, અભિનવ મનોહર, વિજય શંકર, રિદ્ધિમાન સાહા, રાશિદ ખાન, ડેવિડ મિલર, આર સાઈ કિશોર, મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન
 
લખનઉ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, મનીષ પાંડે, દીપક હુડા, મનન વોહરા, જેસન હોલ્ડર, કૃણાલ પંડ્યા, શાહબાઝ નદીમ, અંકિત રાજપૂત, અવેશ ખાન, રવિ બિશ્નોઈ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments