Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીમારીઓનો કાળ છે સૂર્ય નમસ્કાર .. આવો જાણીએ તેના ફાયદા

Webdunia
બુધવાર, 5 જાન્યુઆરી 2022 (16:15 IST)
સવારની શરૂઆત જે લોકો સૂર્ય નમસ્કારથી કરે છે તેઓનુ તન અને મન સ્વસ્થ રહે છે.  પ્રાચીન સમયથી ચાલી આવતો સૂર્ય નમસ્કારનો અર્થ છે સૂર્યને નમસ્કાર. આ આસનને કરતી વખતે સૂરજની કીરણો સીધી તમારા શરીર પર પડે છે. જેનાથી તમને વિટામિન ડી મળવા ઉપરાંત  અનેક બીમારીઓથી પણ બચી શકો છો.   એટલુ જ નહી માત્ર સૂર્ય નમસ્કાર 5 થી 10 મિનિટ સુધી રોજ નિયમ પૂર્વક કરવામાં આવે તો તમને કોઈપણ અન્ય આસનની જરૂર પડતી નથી. કારણ કે આ એકમાત્ર આસન જ શરીરની દરેક જરૂરિયાતને પુર્ણ કર છે. 21 જૂનના રોજ દર વર્ષે ઈંટરનેશનલ યોગા ડે ઉજવાય છે. તો આ નિમિત્તે ચાલો જાણીએ સૂર્ય નમસ્કાર કરવાના ફાયદા વિશે માહિતી.. 
 
સૌ પહેલા જાણીશુ કેટલી વાર સુધી કરવા જોઈએ સૂર્ય નમસ્કાર 
 
આ આસન શરીરના લગભગ બધા અંગ પર સારો પ્રભાવ નાખે છે.  તેથી આ બધા યોગાસનોમાંથી સર્વશ્રેષ્ટ છે. જો સૂર્ય નમસ્કાર રોજ 5-12 વાર સુધી કરી લેવામાં આવે તો કોઈ અન્ય આસન કરવાની જરૂર પડતી નથી.  આ આસન સવારે સૂર્યની કિરણો સામે સ્વચ્છ અને ખુલ્લા હવાદાર સ્થાન પર કરવાનુ હોય છે. 
 
સૂર્ય નમસ્કારની વિધિ 
 
સૂર્ય નમસ્કારમાં કુલ 12 આસન હોય છે તેમા 6 વિધિ પછી એ જ 6 સ્ટેપ્સને ઉલ્ટા ક્રમમાં કરવાના હોય છે.  ચાલો જાણીએ સૂર્ય નમસ્કારના દરેક સ્ટેપ્સના ફાયદા 
 
- સૂર્ય નમસ્કારના પ્રથમ સ્ટેપ્સને કરવાથી શરીરનુ સમતુલન બની રહે છે સાથે જ એકાગ્રતા અને માનસિક શાંતિ પણ મળે છે. 
 
- સૂર્યનમસ્કારના બીજા સ્ટેપ્સથી  શરીરમાં ઓક્સીઝનનો પ્રવાહ યોગ્ય માત્રામાં થાય છે.  જેનાથી ફેફડા સ્વસ્થ રહે છે સાથે જ આ મગજ માટે પણ સારુ છે અને તેનાથી ખભા અને પીઠના દુ ખાવાથી છુટકારો મળે છે. 
 
-  જો તમને કમર, કરોડરજ્જુ માં દુખાવો રહે છે તો સૂર્ય નમસ્કારનો ત્રીજો સ્ટેપ  તમારે માટે બેસ્ટ છે.  કારણ કે તેનાથી માંસપેશીઓને આરામ મળે છે.  સાથે જ તેનાથી જાડાપણું ડાર્ક સર્કલ્સ અને ચેહરાના દાગ ધબ્બા પણ દૂર થાય છે. 
 
- સૂર્ય નમસ્કારનુ ચોથુ સ્ટેપ્સ કરવાથી શરીરમાં બ્લો ફ્લો તેજ થશે અને શરીરમાં લચીલાપનુ આવે છે.  તેનાથી હેલ્થ પ્રોબ્લેમ જ નહી પણ બ્યુટી સાથે જોડાયેલ સમસ્યાઓ પણ દૂર થાય છે. 
 
- સૂર્ય નમસ્કારના પાંચમાં સ્ટેપ્સને કરવાથી શ્વાસ સંબંધી પરેશાનીઓ જેવી કે સાઈનસ અને અસ્થમાની સમસ્યા દૂર રહે છે.  આ ઉપરાંત તેનાથી એનર્જી પણ મળે છે. 
 
-સૂર્ય નમસ્કારનુ છઠ્ઠુ સ્ટેપ પીઠ ખભો અને ગરદનને મજબૂતી આપે છે. સાથે જ આ ફેફડા કિડની અને પાચન ક્રિયાનુ કાર્ય પણ યોગ્ય રાખે છે. 
 
- સૂર્ય નમસ્કાર નુ સાતમુ સ્ટેપ બૈલી ફેટ, કમરનો દુખાવો,  સ્લિપ ડિસ્ક અને ડાયાબિટીસથી બચવા માટે બેસ્ટ ઓપ્શન છે.  સાથે જ તેનાથી પીરિયડ્સમાં થનારા દુખાવાથી પણ છુટકારો મળે છે. 
 
બાકીના સ્ટેપ્સ ઉંઘા ક્રમમાં કરવાના છે. આ ઉપરાંત રોજ નિયમિત પૂર્વક સૂર્ય નમસ્કાર કરવાથી સ્મરણ શક્તિ પણ વધે છે 
રોજ 10-15 મિનિટ સૂર્યનમસ્કાર કરવામાં આવે તો શરીરમાં ઓક્સિજનનુ સ્તર વધે છે.  અને કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળે છે. તેથી શરીરમાં એનર્જી આવી જાય છે. 
- જે સ્ત્રીઓને અનિયમિત માસિક ચક્રની સમસ્યા હોય તેમણે નિયમિત આ આસન કરવુ જોઈએ. તેનાથી માસિક ધર્મ રેગ્યુલર થઈ જશે. 
 
- આ આસન કરવાથી પેટના ઓર્ગંસ પર દબાણ પડે છે. તેથી પાચન તંત્ર ઠીક રહે છે. આ ઉપરાંત ખાલી પેટ સૂર્ય નમસ્કાર કરવાથી કબજિયાત .. અપચો અને પેટમાં બળતરાની સમસ્યાથી છુટકારો મળે છે. 
હા પણ સ્લિપ ડિસ્ક અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ સૂર્ય નમસ્કાર ન કરવુ જોઈએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments