Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tips To Get rid of Cockroach: ઘરના કોઈપણ ખૂણામાં જોવા નહી મળે કોકરોચ, બસ અજમાવી જુઓ આ રીત

Webdunia
સોમવાર, 4 જુલાઈ 2022 (16:45 IST)
Tips To Get rid of Cockroach: ચોમાસુ આવતા જ આપણી આસપાસ માખી, મચ્છર, કૉકરોચ અને વરસાદમાં જોવા મળતા કીડાની સંખ્યા ખૂબ વધી જાય છે.  માખી અને મચ્છર સાથે તો માણસ પણ લડી લે છે પણ કોકરોચ પહેલીવારમાં તો બધા જ ગભરાય જાય છે.  જો કે ગરમીની ઋતુમાં કોકરોચ વધુ પેદા થાય છે.  કોકરોચ ગંદકીની સાથે બીમારીઓ પણ ફેલાવે છે. આવામાં કોકરોચ ઘરના ખૂણે ખૂણે જોવામળે છે.  તેમનુ અસલી ઉદ્દેશ્ય ઘરના રસોડામાં પોતાનો અડ્ડો જમાવવાનો હોય છે. 
 
આમ તો કૉકરોચ કોઈના પર પણ હુમલો કરતો નથી કે કોઈને કરડતો નથી. પણ  પોતાના શરીર દ્વારા આ જંતુ અનેક રીતે હાનિકારક અને ઝેરીલા બેક્ટેરિયા ફેલાવે છે. ઘણીવાર લોકો ઘરમાંથી વંદો દૂર કરવા અથવા તેને સંપૂર્ણ રીતે દૂર કરવા માટે વિવિધ પ્રકારની દવાઓનો ઉપયોગ કરે છે. તેઓ બજારોમાં જઈને મારવાની દવા પણ લાવે છે. પરંતુ પછી થોડા દિવસો પછી ફરીથી વંદા દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે કેટલાક ઘરેલું ઉપાય લઈને આવ્યા છીએ. જેના ઉપયોગથી કોકરોચ પણ ભાગી જશે અને ઘરના લોકો પર તેની કોઈ ખોટી અસર નહીં પડે.
 
લવિંગનુ આયુર્વેદમાં ઘણુ મહત્વ બતાવ્યુ છે. લવિંગનો ઉપયોગ પૂજા-પાઠ, દવાઓ અને ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે. પણ શુ તમે જાણો છો લવિંગનો ઉપયોગ  કોકરોચ ભગાડવામાં પણ કરવામાં આવે છે. સાચુ સાંભળ્યુ તમે. લવિંગની તેજ મહેક દ્વારા વંદાઓને ભગાડી શકાય છે. તમે લવિંગને ઘરના દરેક ખૂણામાં મુકી દો. રસોડાથી લઈને રૂમના દરેક ખૂણામાં લવિંગની કેટલીક કળીઓ મુક્યા બાદ તમે જ ઓશો કે તેની ખુશ્બુથી કોકરોચ ભાગવા માંડશે. 
 
જો કે તમારે તેને દરરોજ બદલી નાખવા પડશે. સાથે જ એ સ્થાનની સફાઈ પણ સારી રીતે કરવી પડશે.  જેથી એકવાર ભાગ્યા પછી ફરીથી ગંદકી જોઈને કોકરોચ પાછા ન આવી જાય્ રોજ આવુ કરવાથી થોડાક જ દિવસોમાં તમે જોશો કે ઘરમાં વંદાઓ ફરવા બંધ થઈ ગયા હશે. 
 
કોકરૉચ ભગાડવાના ઘરેલુ ઉપાય 
-કોકરોચ/વંદાને ભગાડવા માટે તમાલપત્રનો ઉપયોગ કરો 
- કેરોસીનના તેલથી પણ કોકરોચનો સફાયો કરી શકાય છે 
-  બેકિંગ પાવડર અને ખાંડ મિક્સ કરીને મુકવાથી પણ કૉકરોચ ભાગી જશે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલમાં શરમજનક ઘટના: 5 વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર 54 વર્ષીય સફાઈ કામદારની ધરપકડ

ટૂંક સમયમાં જ ભારત આવશે ટ્રંપ, પીએમ મોદી સાથે તેમના સંબંધ ખૂબ સારા છે - માર્કો રૂબિયો

ગાંધીનગરમાં આજે અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્ષી’નો શુભારંભ:‘PM ફેમિલી કેર ટ્રેકર’નું કરશે લોન્ચિંગ; બે દિવસીય પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર

ગુજરાત ATSની મોટી એક્શન: અમદાવાદમાંથી 10 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

વધુ જુઓ..

ધર્મ

આજે શનિ પ્રદોષ વ્રતના દિવસે કરી લો આ ચમત્કારિક ઉપાય, કરિયર અને નાણાકીય ક્ષેત્રમાં મળશે લાભ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 27, 20226

શુક્રવારે આ રંગના કપડાં પહેરવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને શુક્ર મજબૂત થશે.

ચાણક્ય નીતિ અનુસાર જીવનસાથી પસંદ કરતા પહેલા 4 બાબતોનું રાખો ધ્યાન, નહિ તો પાછળથી પછતાશો

શુક્રવારના દિવસે ચંપક દ્વાદશી અને સિદ્ધ યોગ, સુખ સૌભાગ્યની થશે પ્રાપ્તિ જો કરશો આ ઉપાય

આગળનો લેખ
Show comments