Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીમા દહી જો જલ્દી ખાટુ થઈ જાય છે તો આ સહેલા ઉપાયોથી તેને રાખો ફ્રેશ

Webdunia
ગુરુવાર, 27 માર્ચ 2025 (11:42 IST)
ગરમીમાં દહી જલ્દી ખાટુ થઈ જાય છે તેનાથી તેનો સ્વાદ ખરાબ થઈ શકે છે પણ કેટલીક સહેલી ટીપ્સ અપનાવીને તમે તેને લાંબા સમય સુધી તાજુ રાખી શકો છો. આવો જાણીએ આવી સહેલી ટિપ્સ જેનાથી દહી ગરમીમા પણ સ્વાદિષ્ટ બની રહેશે. 
 
ગરમીમા દિવસની સરખામણીમાં રાતનુ તાપમાન ઓછુ હોય છે. જો તમે રાત્રે દહી જમાવો છો તો આ યોગ્ય રીતે સેટ થઈ જાય છે અને જલ્દી ખાટુ થતુ નથી.  
 
જ્યારે દૂધ ઉકાળો તો તેમા થોડી ખાંડ મિક્સ કરી દો. તેનાથી દહીનો સ્વાદ સંતુલિત રહેશે અને તે વધુ સમય સુધી તાજુ રહેશે. ખાંડ નાખવાથી દહી જલ્દી ખાટુ થતુ નથી. 
 
દહી જમાવવા માટે દૂધ ન તો વધુ ગરમ હોવુ જોઈએ કે ન તો વધુ ઠંડુ હોવુ જોઈએ. સાધારણ કુણુ દૂધ સૌથી શ્રેષ્ઠ રહે છે. તેનાથી દહી જલ્દી અને યોગ્ય રીતે જામે છે.  
 
જો તમે વધુ જામવણ નાખો છો તો દહી જલ્દી ખાટુ થઈ શકે છે. ઓછી માત્રામાં જામવણ નાખવાથી દહીનો સ્વાદ હળવો અને તાજો બન્યો રહે છે.   
દહી જામ્યા પછી તરત જ ઠંડા સ્થાન કે ફ્રિજમાં મુકો. તેનાથી આ વધુ સમય સુધી તાજુ બન્યુ રહેશે અને ખાટુ ઓછુ લાગશે. 
 
માટીના વાસણમાં દહી જમાવવાથી આ વધુ સમય સુધી તાજુ રહે છે. આ વાસણની નમીને નિયંત્રિત કરે છે અને દહીને ઠંડુ બનાવી રાખે છે. 
 
આ સહેલી અને સટીક ટિપ્સ અપનાવીને તમે ગરમીમાં પણ દહીને તાજુ અને સ્વાદિષ્ટ બનાવી રાખી શકો છો. તેના જલ્દી ખાટા થવાની ચિંતા કર્યા વગર હવે દરેક ઋતુમાં દહીનો ભરપૂર આનંદ લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શાકભાજીના ભાવ કાબુ બહાર! આદુ 130 રૂપિયા અને ધાણા 100 રૂપિયાથી વધુ; જાણો પ્લેટ આટલી મોંઘી કેમ છે.

5 દિવસ સુધી ખતરનાક ગરમીની ચેતવણી, 18 રાજ્યો માટે IMD એલર્ટ, ક્યાં ક્યાં વરસાદ પડશે?

Gujarat Kisan Parivahan Yojana 2026 - ખેડૂતો માટે ગુડ ન્યુઝ, હવે 'સનેડો' ખરીદવા મળશે રૂ. 75000 સુધીની સબસીડી, જાણો, કયા ખેડૂતોને થશે લાભ ?

હવામાન અપડેટ: રાજકોટમાં 43.5 ડિગ્રી સાથે આકરી ગરમી વચ્ચે આજે ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે

10 રાજ્યોની 24 રાજ્યસભા સીટો માટે ચૂંટણીની તારીખ જાહેર, ECI એ જાહેર કર્યુ શેડ્યુલ, જુઓ કેટલા રાજ્યની કેટલી સીટો

વધુ જુઓ..

ધર્મ

Laxmi Mantra - શુક્રવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Sukrawar Rules - શુક્રવારે મહિલાઓએ ખાટી વસ્તુઓ ખાવાનું કેમ ટાળવું જોઈએ? આ ભૂલ મોંઘી પડી શકે છે

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 મે 2026

Guruwar Astro Tips: ગુરુવારે કપડાં અને વાળ કેમ ન ધોવા જોઈએ? જ્યોતિષ શું કહે છે તે જાણો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 મે 2026

આગળનો લેખ
Show comments