Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cooking Tips: કારેલાનુ શાક કડવુ થઈ જતુ હોય તો આ ટિપ્સ અપનાવી જુઓ

Webdunia
શનિવાર, 8 જૂન 2024 (12:22 IST)
Cooking Tips: મોટાભાગના ડોકટરો ઉનાળાની ઋતુમાં કારેલા ખાવાની સલાહ આપે છે. કારેલામાં એવા ઘણા તત્વો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કારેલાનું સેવન અનેક રોગોમાં થાય છે. કારેલા એક એવું શાક છે જેને યોગ્ય રીતે તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે. જો કે કારેલા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ જો તેને યોગ્ય રીતે તૈયાર ન કરવામાં આવે તો તેનો સ્વાદ એકદમ કડવો બની જાય છે.
 
મોટા લોકો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એમ વિચારીને હજુ પણ એક વાર કારેલા ખાઈ લે, પરંતુ બાળકો તેને ખાવામાં ખૂબ જ નખરા કરે છે. જો તમે પણ તમારા દ્વારા બનાવેલ કારેલાનુ શાક કડવુ રહી જવાને લઈને પરેશાન છો તો આ લેખ તમારા માટે છે. આ લેખમાં અમે તમને એવી જ કેટલીક ટિપ્સ બતાવી રહ્યા છીએ, જેને અનુસર્યા પછી કારેલાના શાકની કડવાશ દૂર થઈ જશે.
મીઠુ લગાવીને રાખો 
 
કારેલા બનાવતા પહેલા લગભગ 30 મિનિટ માટે કારેલાને સારી રીતે મીઠુ લગાવીને મુકો.  મીઠામાં રહેલા મિનરલ્સ  કારેલાના કડવા રસને દૂર કરવામાં મદદ કરશે. જો તમે ઈચ્છો તો તેને મીઠાના પાણીમાં પલાળીને પણ રાખી શકો છો. તેને બનાવતા પહેલા તેને સારી રીતે ધોઈ લેવાનુ ધ્યાન રાખો.  
Best Way To Cook Bitter Gourd
કારેલાના બીજ હટાવો 
 
કારેલાના બીજમાં ખૂબ કડવાશ જોવા મલે છે. આવામાં તમે કારેલા કાપતી વખતે તેના બીજાને કાઢી લો. બીજ કાઢ્યા બાદ તેની કડવાશ ઘણી બધી ઓછી થઈ જશે. 
 
સારી રીતે છોલો 
 
કારેલાને બનાવતા પહેલા તેને જરૂર છોલી લો. આવુ કરવાથી તેની કડવાશ ઓછી થઈ જશે. કારેલાના છાલટામાં જ સૌથી વધુ કડવાશ જોવા મળે છે. આવામાં તેનુ જાડુ છાલટુ ઉતારી લો. તમે ચાહો તો તેને તાપમાં સુકાવીને ભરેલા કારેલા બનાવતી વખતે તેનો ઉપયોગ કરી શકો છો. 
  
દહી ઓછી કરશે કડવાશ 
જો તમે કારેલા બનાવવાના એક કલાક સુધી તેને દહીમાં પલાળીને મુકશો તો તેનાથી પણ કારેલાની કડવાશ મોટેભાગે ઓછી થશે. કારેલા બનાવવા માટે તેને દહીમાંથી કાઢી લો અને પછી તેનુ શાક બનાવી લો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Sankashti Chaturthi 2025 Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, જીવનમાં આવશે સુખ-શાંતિ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

આગળનો લેખ
Show comments