Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાના ડરથી નથી ચલાવી રહ્યા AC, તો ગરમીમાં ઘરને ઠંડુ રાખવા અપનાવો આ 5 ટિપ્સ

Webdunia
મંગળવાર, 19 મે 2020 (07:12 IST)
ગરમી  હવે તેનો રંગ બતાવવા માંડી છે. કોરોનાના ડરને કારણે, લોકો હજી પણ ઘરે એસી-કુલર ચલાવવાનું ટાળી રહ્યા છે. તો પછી ગરમીનો પ્રકોપથી કેવી રીતે બચવુ ? કેટલાક ઉપાય છે જેનાથી ઘરને ઠંડુ રાખવામાં મદદ મળી શકે છે. જાણો કેવી રીતે. 
 
1 - જો તમારું ઘર ઉપરના માળે છે, તો દેખીતુ છે કે  ગરમી વધારે રહેશે. આવી સ્થિતિમાં, તમે ટેરેસ પર એક નાનકડો બગીચો તૈયાર કરી શકો છો. આ ઉપરાંત ગ્રીન શેડ પણ લગાવી શકાય છે. વાંસ લગાવીને કેટલીક બેલ કે લતાઓ તેના પર ચઢાવી શકો છો. ટોપ ફ્લોર પર હવાની અવર જવર સારી રહે છે.  તેથી સાંજે ઘરની બારી-બારણા ખોલી દો. 
 
2 - રસોડામાં અથવા બાથરૂમમાં એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરવો જ જોઇએ. તેનાથી અંદરની ગરમી બહાર જતી રહેશે. રસોઈ બનાવતી વખતે ચિમની કે એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ જરૂર કરો અને રસોડાની બારી ખોલી નાખો. જેથી તાપથી ઉત્પન્ન થતી ગરમીને બહાર નીકળવાનો રસ્તો મળે. 
 
3 - ગરમીમાં હળવા રંગ અને સુતરાઉ કાપડ વધુ રાહત આપે છે. પોતાના ઘરના પડદા, ચાદરો, કુશંસ અને સોફા કવરસ વગેરે હળવા રંગમાં મુકો.  ધ્યાન રાખો કે  આ સમયે કૉટન ફૈબ્રિકનો જ ઉપયોગ કરો.  તેનાથી ઘરમાં થોડી ઠંડકનો એહસાસ થશે.  તમે બધા પરિવારમાં પણ સૂતી કપડાનો ઉપયોગ વધુ કરો. 
 
4. બારીની તરફ સ્પેસને ખાલી રાખો. જેથી હવા સહેલાઈથી અવર-જવર કરી શકે. કારપેટ હવે ન પાથરશો.  સાથે જ રૂમમાં થોડા વોટર એલિમેંટ પણ મુકો. સીધો તાપ જ્યાથી આવતો હોય એવી બાલકનીમાં શેડ્સ લગાવી શકો છો કે પછી પડદા લગાવો. ઘણી રાહત મળશે. 
 
5. ઘરમાં કારણ વગર લાઈટ્સ ન ચલાવશો અને વધુ ચમકતી લાઈટ્સનો ઉપયોગ ન કરો.  તેને બદલે ડિમ લાઈટ્સ કે લૈપ શેડ્સનો ઉપયોગ કરો.  તેનાથી રૂમ ઠંડો રાખવામાં મદદ મળશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

આગળનો લેખ
Show comments