Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon Tips - ચોમાસામાં તુલસી રામબાણ તરીકે કરે છે કામ, આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આપશે રાહત

Webdunia
મંગળવાર, 2 જુલાઈ 2024 (08:59 IST)
ભારતમાં મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ છે. આ છોડને તેના ઔષધીય ગુણોના કારણે આયુર્વેદમાં ખૂબ જ ફાયદાકારક ગણાવવામાં આવ્યો છે. તુલસીના પાનને સીધું ખાવા ઉપરાંત તેનો ઉકાળો બનાવીને, ચામાં ઉમેરીને, પાવડર બનાવીને, તુલસીનું પાણી વગેરે બનાવીને તેનું સેવન કરી શકાય છે. તુલસીને વાત, કફ અને પિત્તને ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે, તેથી તુલસી તમને વરસાદની મોસમમાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્તિ અપાવી શકે છે.
 
તુલસીનું માત્ર ધાર્મિક મહત્વ જ નહીં પરંતુ આયુર્વેદમાં પણ તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ઘણા પ્રકારના પોષક તત્વો ઉપરાંત તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે અને તેથી ચોમાસાની ઋતુમાં તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે ચોમાસામાં તુલસીના પાન તમારા માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે છે.
 
દરરોજ સવારે ખાલી પેટે તુલસીના પાન લો.
બદલાતા હવામાનમાં વાયરલ ઈન્ફેક્શનથી સુરક્ષિત રહેવા માટે ઈમ્યુનિટી વધારવી ખૂબ જ જરૂરી છે. આ માટે દરરોજ સવારે ત્રણથી ચાર તુલસીના પાન નવશેકા પાણી સાથે ગળવા જોઈએ. જો કે, પાંદડા ચાવવાનું ટાળો, નહીં તો તે તમારા દાંતને નુકસાન પહોંચાડે છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે તુલસીના પાન સતત 40 દિવસથી વધુ ન ખાવા જોઈએ.
 
ગળાના દુખાવા અને ખાંસીમાં  આપે છે રાહત
ચોમાસામાં ક્યારેક વરસાદ તો ક્યારેક ગરમીના કારણે તાપમાનમાં વધઘટ થતો રહે છે અને તેના કારણે ગળામાં ખરાશ, ઉધરસ, શરદી જેવી સમસ્યાઓ થવા લાગે છે. રાહત માટે તુલસીના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી આરામ મળે છે અથવા તુલસીના પાનને ચામાં ઉમેરીને પી શકાય છે.
 
પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે
ચોમાસામાં બેક્ટેરિયાના રહેવાને કારણે અથવા ખાવાની ખોટી આદતોને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ થવી સામાન્ય બાબત છે. આનાથી છુટકારો મેળવવા માટે તુલસીના 8 થી 10 પાન લઈને તેને થોડા જીરા સાથે વાટીને મધ સાથે થોડું-થોડું ખાવાથી ઘણી રાહત મળે છે.
 
તુલસી  વાગ્યું હોય તો ઈન્ફેકશનથી બચાવે છે 
વરસાદની મોસમમાં ઘણી વખત ત્વચા પર ફોલ્લીઓ અથવા ઘા થવાને કારણે ચેપ લાગવાનો ભય રહે છે. તેનાથી બચવા માટે આ સમયગાળા દરમિયાન તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. તેમાં હાજર એન્ટી-બેક્ટેરિયલ ગુણ ઘામાં  ઈન્ફેકશનથી બચાવે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

માખણ-મિશ્રી જ નહી શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે ધાણાની પંજરીનો પ્રસાદ, જાણો બનાવવાની Recipe

Happy Nag Panchami - નાગપાંચમની શુભકામનાઓ

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Krishna janmashtami 2024: જન્માષ્ટમી પર આ વખતે બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિઓને મળશે આશીર્વાદ

Randhan Chhath 2024 - રાંધણ છઠ ક્યારે છે અને કેમ ઉજવાય છે ? જાણો આ દિવસનુ મહત્વ અને આ દિવસે શુ કરવુ શુ ન કરવુ તેના વિશે

આગળનો લેખ
Show comments