Webdunia - Bharat's app for daily news and videos

Install App

Weight Loss - 15 દિવસમાં વજન ઓછુ કરશે આ 4 ડ્રિંક

Webdunia
વજન ઉતારવા લોકો ઘણા અખતરાં કરે છે. ભૂખ્યા રહે છે, કસરત કરે છે... આઠ દિવસ સુધી બધુ બરાબર ચાલે છે અને પછી બધુ ઠપ્પ થઈ જાય છે. ભૂખ્યા રહેવાથી નબળાઈ આવી જાય છે. જો તમે ખરેખર તમારું વજન ઘટાડવા ઇચ્છો છો તો કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવો. અહી અમે કેટલાક પીણા આપ્યા છે જે તમારું વજન ઉતારવા માટે અસરકારક સાથે પૌષ્ટિક પણ રહેશે.

ઘરેલું પીણા :

1. ગરમ પાણી અને લીંબુ : ગરમ પાણી વધારેલા વજનને દૂર કરવામાં બહુ મદદરૂપ સાબિત થાય છે. લીંબુ અને પાણી ચરબી બાળવાની સાથે સૌથી સાદું પીણું ગણાય છે. જો તમે તમારું વજન ઓછું કરવા ઇચ્છો છો તો દરેક ભોજન બાદ લીંબુ અને ગરમ પાણીને સાથે મિક્સ કરીને ચોક્કસ પીવો.

2. ગરમ પાણી અને મધ : સવારે ખાલી પેટે જો તમે મધ અને ગરમ પાણીનો એક ગ્લાસ પીશો તો ચોક્કસ તમે પતલા થઇ શકશો. આ પીવાથી વજન તો ઓછું થશે સાથે આ પીણું તમને દિવસભર સક્રિય રાખવામાં મદદ પણ કરશે. તે તમારા શરીરમાં મેટાબોલિઝમ વધારીને શરીરને એક્ટિવ રાખશે. મધની અંદર એમીનો એસિડ અને પુષ્કળ માત્રામાં ખનીજ પદાર્થ હોય છે જે શરીરમાં વધારાની ચરબી જામી જતી રોકે છે. તમે આ પીણામાં અડધા લીંબુનો રસ પણ નાખી શકો છો.

3. ગ્રીન ટી : આ પણ એક પ્રકારનું હોમમેડ હેલ્ધી ડ્રિંક છે, જે ગરમ કે ઠંડુ બંને રીતે પી શકાય છે. ગ્રીન ટી આપણા શરીર માટે અતિ ફાયદાકારક હોય છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢી ત્વચાને સાફ કરવાની સાથે વાળ ઉતરતા પણ રોકે છે.

 

4 -   શાકભાજીનો રસ : વજન ઓછું કરવા માટે કારેલાના રસ કરતા સારો રસ કોઇ નથી. તે કેલરીના લેવલને નીચું કરે છે સાથે શુગર લેવલ પણ કન્ટ્રોલ કરે છે. તે પીવાથી શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. કારેલા સિવાય તમે ઇચ્છો તો ગાજર, ટામેટા કે પાલકનો રસ પણ પી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

MLA Satish Patel Profile - માંજલપુરમાં ભાજપની જીત: જાણો કોણ છે નવા ધારાસભ્ય સતિષ પટેલ

6 લાખ કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર! એક મહિનામાં ડીએ એરિયર્સ ચૂકવવામાં આવશે, હાઇકોર્ટે કડક આદેશ આપ્યો.

આ રાજ્યોના 50 જિલ્લાઓમાં ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે તબાહી મચાવશે, IMD એ મુખ્ય ચેતવણી જારી કરી

માંજલપુર પેટાચૂંટણી મતગણતરી: માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપની ધમાકેદાર લીડ, કોંગ્રેસે સ્વીકારી હાર

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો

વધુ જુઓ..

ધર્મ

Shravan Puja Thali - શ્રાવણના સોમવારે પૂજાની થાળી સજાવો, આ સરળ રીતો વાંચો

શ્રાવણ સોમવારના વ્રતમાં શુ ખાવુ જોઈએ ? જાણો શુ છે આ વ્રતના નિયમ

શ્રાવણ સોમવારમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

શ્રાવણીયા સોમવાર ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3 ઓગસ્ટ, 2026

આગળનો લેખ
Show comments