Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mosquitoes Home Remedies - આવી ગઈ મચ્છરોની સિઝન, બીમારીઓથી બચવા માટે અપનાવો આ 5 ઘરગથ્થુ ઉપચાર

Webdunia
બુધવાર, 20 માર્ચ 2024 (00:48 IST)
mosquitoes home remedies
How To Get Rid Of Mosquitoes: ઉનાળો શરૂ થયો છે અને મચ્છરો આવવા લાગ્યા છે. દરેક વ્યક્તિ આ મચ્છરોને ઘરમાંથી દૂર કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. જો આ મચ્છરોને ભગાડવામાં ન આવે તો આપ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનો ભોગ બની શકે છે.
 
આવી સ્થિતિમાં, જ્યાં વડીલો અને બાળકો હોય તેવા ઘરો માટે મચ્છરોને દૂર રાખવા એ વધુ ચિંતાનો વિષય બની ગયો છે. આવી સ્થિતિમાં, જો તમે મચ્છરોને દૂર રાખવા માટે કુદરતી ઉપાયો શોધી રહ્યા છો, તો અમે તમારી મદદ કરી શકીએ છીએ. અહીં અમે એવા 5 સરળ ઉપાયો વિશે બતાવી રહ્યા છીએ જેની મદદથી તમે સહેલાઈથી મચ્છરોને દૂર કરી શકો છો.
 
કપૂર સળગાવો: મચ્છરોને ભગાડવાની સૌથી સરળ રીત છે કપૂર. કપૂર(Camphor)ની સુગંધ જેટલી સારી હોય છે, તેટલી જ તે મચ્છરોથી બચવામાં પણ ખૂબ અસરકારક છે. તેથી સાંજ પડતાં જ કપૂર સલગાવી દો.
 
લવંડર ઓઈલઃ લવંડર ઓઈલ(lavender oil)પણ મચ્છરોને સરળતાથી ઘરથી દૂર રાખવા માટે કામ આવી શકે છે.  તમે તેનો ડિફ્યુઝર તરીકે ઘરમાં ઉપયોગ કરો કે પછી  તમારા લોશન અથવા ક્રીમમાં મિક્સ કરીને તેને ત્વચા પર લગાવી શકો છો.
 
ટી ટ્રી ઓઈલઃ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ટી ​​ટ્રી ઓઈલ(tea tree oil)ની મદદથી તમે મચ્છર કે જંતુઓને પોતાનાથી દૂર રાખી શકો છો. આ માટે તમે તેને પણ તમારા ક્રીમ લોશનમાં લગાવીને તેનો ઉપયોગ કરી શકો છો. જો તમને મચ્છર કરડે છે તો તમે બળતરાને શાંત કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

 
લેમનગ્રાસ અને લવિંગઃ એક વાસણમાં નારિયેળનું તેલ લો અને તેમાં લેમનગ્રાસ અને લવિંગ નાખીને પકાવો. હવે આ તેલને એક બોટલમાં સ્ટોર કરી લો.  જ્યારે જરૂર હોય ત્યારે તેને બહાર કાઢીને ત્વચા પર લગાવો.
 
લીમડાના પાનઃ જો મચ્છરો ઘરમાં આવવાનું બંધ ન થાય તો લીમડાના પાનને બાળીને તેનો ઘરમાં ધુમાડો કરો. આમ કરવાથી મચ્છરો સરળતાથી ભાગી જશે. તમે લીમડાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments