Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગેસ.. ગભરામણ કે છાતીમાં બળતરામાં અચૂક છે આ 5 ઉપાય

Webdunia
રવિવાર, 7 નવેમ્બર 2021 (07:07 IST)
ભોજનમાં મગ, ચણા, મટર, તુવેર, બટાકા, સરગવો, ચોખા અને તીખા મસાલા યુક્ત ભોજન વધુ માત્રામાં સેવન ન કર્શો. . જલ્દી પચનારા શાક ખિચડી અને ચોકર સાથે બનેલ લોટની રોટલી, દૂધ, તુરઈ, કોળુ, પાલક, ટિંડા, શલઝમ, આદુ, આમળા, લીંબૂ વગેરેનુ સેવન વધુ કરવુ જોઈએ. ભોજન ખૂબ ચાવી ચાવીને આરામથી કરવુ જોઈએ. વચ્ચે વચ્ચે વધુ પાણી ન પીવો. ભોજનના બે કલાક પછી 1 થી 2 ગ્લાસ પાણી પીવો. બંને સમયના ભોજન વચ્ચે હળવો નાસ્તો વગેરે જરૂર ખાવ. 
 
તેલ ગરિષ્ઠ ભોજનથી પરેજ કરો. ભોજન સાદુ...સાત્વિક અને પ્રાકૃતિક અવસ્થામાં સેવન કરવાની કોશિશ કરો. દિવસભરમાં 8થી 10 ગ્લાસ પાણીનુ સેવન જરૂર કરો.. રોજ કોઈને કોઈ વ્યાયામ કરવાની ટેવ જરૂર બનાવો.. સાંજે ફરવા જાવ. પેટના આસનથી વ્યાયામનો પૂરો લાભ મળે છે. પ્રાણાયામ કરવાથી પણ પેટની ગેસની તકલીફ દૂર થઈ જાય છે. દારૂ, ચા કોફી તંબાકુ ગુટખા જેવા વ્યસનથી બચો. દિવસમાં સૂવાનુ છોડી દો.. અને રાત્રે માનસિક પરિશ્રમથી બચો. 
 
એક ચમચી અજમા સાથે ચપટી સંચળ ભોજન પછી ચાવીને ખાવાથી પેટની ગેસ જલ્દી નીકળી જાય છે. આદુ અને લીંબૂનો રસ એક એક ચમચી લઈને થોડુ મીઠુ મિક્સ કરીને ભોજન પછી બંને સમય સેવન કરવાથી ગેસની બધી તકલીફ દૂર થઈ જાય છે અને ભોજન પણ પછી જાય છે. ભોજન કરતી વખતે વચ્ચે વચ્ચે લસણ હિંગ થોડા થોડા પ્રમાણમાં ખાતા રહેવાથી ગેસની તકલીફ થતી નથી.  હરડ સૂંઠનુ ચૂરણ અડધી અડધી ચમચી લઈને તેમા થોડુ સંચળ મિક્સ કરીને ભોજન પછી પાણીથી સેવન કરવાથી પાચન સારી રીતે થાય છે અને ગેસ બનતી નથી. લીંબૂનો રસ લેવાથી ગેસની તકલીફ થતી નથી અને પાચન ક્રિયા સુધરે છે. 
 
ગેસ બનતા હીંગ જીરુ અજમો અને સંચળ ખૂબ ઓછી માત્રામાં મિક્સ કરીને કુણા પાણીથી લો.  આમાંથી કોઈ એક વસ્તુ પણ લઈ શકો છો.   જીરુ સેકીને વાટીને ગરમ પાણી સાથે બે ગ્રામ લઈ શકો છો.. 
 
એક દરાખની બીજ કાઢીને તેમા મગની દાળના દાણા જેટલી હિંગ કે પછી લસણની એક છોલેલી કળી મુકીને દરાખને બંધ કરી લો. તેને સવારે ખાલી પેટ પાણીથી ગળી જાવ.  20-25 મિનિટ સુધી કશુ ખાશો નહી. ત્રણ દિવસ સતત આવુ કરો.. ગેસની તકલીફ બિલકુલ બંધ થઈ જશે.. બાળકોને ઓછી માત્રામાં આપો. 
 
લસણની એક બે કળીયોના ઝીણા ઝીણા ટુકડ કાપીને થોડુ સંચળ મીઠુ અને લીંબૂના ટીપા નાખીને ગરમ પાણેથી સવારે ખાલી પેટ ગળી લો.. આ ઉપાયથી કોલેસ્ટ્રોલ અને આંતરડાનુ ટીબી વગેરે બીમારીઓ ઠીક થવામાં મદદરૂપ છે.  ગરમીમાં લસણ ઓછો અને શિયાળામાં વધુ લો.. દૂધ વગરની લીંબૂની ચા પણ લાભકારી છે.  પણ લીંબૂના ટીપા ચા બનાવ્યા પછી જ નાખો. તેમા ખાંડને બદલે સંચળ નાખો.. ફાયદો થશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments