Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Remedies - અસ્થમા પર કંટ્રોલ કરવાના ઘરેલુ ઉપચારો

Webdunia
દમાનો કોઇ કાયમી ઇલાજ નથી પણ તેના પર નિયંત્રણ અચૂક કરી શકાય છે જેથી દમાથી પીડાતી વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે. દમા અર્થાત્ અસ્થમાનો હુમલો થવાથી શ્વાસનળી સંપૂર્ણપણે બંધ થઇ શકેછે જેનાથી શરીરના મહત્વપૂર્ણ અંગોમાં ઓક્સિજન પહોંચવાનું બંધ થઇ જાય છે. ચિકિત્સાની દ્રષ્ટિએ આ એક મુશ્કેલીભરી સ્થિતિ છે. દમાના હુમલાથી દર્દીનું મૃત્યુ થઇ શકે છે. આમ તો દમાનો ઉપચાર ડોક્ટરી સલાહ-સૂચનથી કરવો યોગ્ય રહેશે પણ તેને કન્ટ્રોલ કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપચારો પણ છે જે બહુ લાભદાયક છે.

જેમ કે...

1. મધ એક સૌથી સરળ ઘરેલું ઉપચાર છે જે અસ્થમાના ઇલાજ માટે વપરાય છે. અસ્થમાનો હુમલો થતાં મધવાળા પાણીનો નાસ લેવાથી ઝડપથી રાહત મળે છે. આ સિવાય દિવસમાં ત્રણવાર એક ગ્લાસ પાણી સાથે મધ મિક્સ કરી પીવાથી બીમારીમાંથી રાહત મળે છે. મધ કફનો ઇલાજ કરે છે અસ્થમાની પરેશાની સર્જે છે.

2. એક કપ ઘસેલા મૂળામાં એક ચમચી મધ અને લીંબુનો રસ મિક્સ કરી 20 મિનિટ સુધી ગરમ કરો. આ મિશ્રણને રોજ એક-એક ચમચી કરીને ખાઓ. આ ઇલાજ બહુ અસરદાર છે.

3. આખી રાત એક ગરમ પાણીવાળા ગ્લાસમાં સૂકા અંજીર પલાળી રાખો. સવાર થતાં જ ખાલી પેટ તે ખાઇ જાઓ. આમ કરવાથી પણ કફ દૂર થશે અને ઇન્ફેક્શનમાં રાહત મળશે.

4. કારેલા, જે અસ્થમા માટે અસરકારક ઇલાજ છે. તેની એક ચમચી પેસ્ટને લઇને મધ અને તુલસીના પાંદડાના રસ સાથે મિક્સ કરી ખાઓ. આનાથી શરીરની અંદરની એલર્જીમાં બહુ રાહત મળે છે.

5. અંદરની એલર્જીને દૂર કરવા માટે મેથી પણ બહુ અસરકારક છે. એક ગ્લાસ પાણી સાથે મેથીના કેટલાક દાણાને ત્યાંસુધી ઉકાળો જ્યાંસુધી પાણી એક તૃતિયાંશ ન થઇ જાય. હવે આ પાણીમાં મધ અને આદુનો રસ મિક્સ કરો. આ રસને દિવસમાં એકવાર પીવાથી અચૂક રાહત મળશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments