Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Remedies - હળદરવાળુ દૂધ અનેક રોગોની દવા છે

Webdunia
બુધવાર, 25 એપ્રિલ 2018 (17:40 IST)
દૂધ આપણા આરોગ્યને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. દૂધનુ સેવન કરવાથી આપણા શરીરને અનેક રોગોથી છુટકારો મળે છે અને નિયમિત રૂપે દૂધનુ સેવન કરવામાં આવે તો આપણુ શરીર હંમેશા સ્વસ્થ રહે છે અને ચેહરા પર નિખાર પણ આવે છે અને જો દૂધમાં હળદર મેળવવામાં આવે તો આ આપણા સ્વાસ્થ્ય માટે વધુ સારુ કામ કરશે. ભલે તે બાળક હોય, જવાન હોય કે વૃદ્ધ આપણે સર્વ માટે હળદરવાળું દૂધનુ સેવન કરવુ લાભકારી હોય છે. આવો જાણીએ ગરમ હળદરવાળા દૂધ પીવાના ફાયદા. 
 
- હળદરવાળુ દૂધ પીવાથી વજન ઓછુ થાય છે અને જાડાપણાથી છુટકારો મેળવી શકાય છે. 
- હળદરવાળુ દૂધ પીવાથી ત્વચામાં નિખાર આવે છે અને ત્વચા સંબંધી રોગોથી રાહત મળે છે અને જો ત્વચા પર ક્યાક કોઈ લાલ ડાગ બની જાય તો હળદરવાળા દૂધને કપાસની મદદથી ત્વચા પર લગાડવુ જોઈએ. 
 
- હળદરવાળુ દૂધ પીવાથી આપણી પાચન ક્રિયા ઠીક રહે છે અને અનેક રોગોથી છુટકારો મેળવી શકાય છે. જેવા કે અલ્સર-ડાયેરિયાથી પણ રાહત મેળવી શકાય છે. 
 
- અનિદ્રા જેવા રોગથી છુટકારો મેળવવા માટે હળદરવાળુ દૂધનુ સેવન કરવુ લાભકારી હોય છે અને ગરમ દૂધમાં થોડી હળદર મેળવીને પીવાથી સારી ઊંઘ આવે છે. 
 
- હળદરવાળા દૂધનુ સેવન કરવાથી શરીરમાં રહેલ રક્ત પાતળુ અને રક્ત વાહિકાઓની ગંદકી પણ સાફ કરવામાં મદદ કરે છે. 
- શરીરમાં કોઈપણ પ્રકારની થઈ રહેલ દર્દથી છુટકારો મેળવવા માટે હળદરવાળુ દૂધનુ સેવન કરવુ ફાયદાકારી સાબિત થાય છે. સાંધાનો દુખાવો, દમા અને કાનમાં દુ:ખાવો થતો હોય તો પણ આનુ સેવન કરવુ જોઈએ. 
 
- શરીર પર કંઈક વાગ્યુ હોય તો પણ હળદરવાળા દૂધનુ સેવન કરવુ લાભકારી હોય છે અને તેનુ સેવન કરવાથી શરીરમાં ગરમાહટ આવી જાય છે અને દુખાવાથી રાહત મળે છે. 
 
- ગરમ દૂધમાં થોડી હળદર મિક્સ કરીને પીવાથી શરદી-સળેખમથી પણ રાહત મળે છે. 
 
- હળદરવાળુ દૂધ પીવાથી હાડકાં પણ મજબૂત બને છે. હળદરવાળુ દૂધ આપણા શરીરને અનેક રોગોથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments