Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips: રોજ સવારે પીવો ધાણાનુ પાણી, આ શારીરિક સમસ્યાઓથી મળશે છુટકારો

Webdunia
સોમવાર, 20 ફેબ્રુઆરી 2023 (18:16 IST)
ભારતીય રસોઈમાં ધાનાનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે છે. ધાણાન્નો સ્વાદ અને સુગંધ અનેક રીતે પ્રયોગમાં લેવામાં આવે છે. ચાહો તો ધાણાના પાનની ચટણી બનાવવી હોય કે પછી કોઈ શાકને ધાણાના પાનથી ગાર્નિશ કરવુ હોય. શાક મસાલાના રૂપમાં પણ ધાણાનો ઉપયોગ કરવામાં આવે છે.  ધાણા સ્વાદ અને સુગંધની સાથે જ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેના સેવનથી અનેક બીમારીઓથી બચાવ થઈ શકે છે. આરોગ્યપ્રદ રએહ્વા માટે રોજ લીલા ધાના કે ધાણાના બીજનુ સેવન કરવુ લાભદાયક છે. થાએરોઈડ અને વજન ઓછુ કરવા જેવી સમસ્યાઓમાં ધાના રામબાણનુ કામ કરે છે.  ધાણાના સેવન કરવાની એક બેસ્ટ રીત છે રોજ સવારે ધાણાના પાણીને ખાલી પેટ પીવુ. ચાલો જાણીએ ખાલી પેટ ધાણાનુ પાણી પીવાના શુ છે ફાયદા અને તેનુ સેવન કરવાની યોગ્ય રીત. 
 
 ધાણાનુ પાણી પીવાના ફાયદા 
 
પાચનમાં સુધારો - ધાણાનુ પાણી પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવાનુ કામ કરે છે. રોજ ધાણાના પાણીનુ સેવન શરીરના પાચન અગ્નિને નિયંત્રિત કરી શકે છે.  જેનાથી પેટમાં એસિડિટીનુ સ્તર વધવાથી રોકે છે. પેટનો દુખાવો, બળતરા અને ગેસ જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે. 
 
વજન ઘટે છે. 
 
જો તમે વજન ઓછુ કરવા માંગો છો તો ધાણાના પાણીને ડાયેટમાં સામેલ કરો. ધાણા પાણીમાં એવા તત્વો હોય છે જે મેટાબોલિજ્મની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.  તેનાથી શરીરમાં જમા ફૈટ ઓછુ થવા માંડે છે અને ઝડપથી વજન ઓછુ થવા માંડે છે.  
 
થાઈરોઈડની સમસ્યામાં લાભકારી 
 
થાઈરોઈડના દર્દીઓએ પણ ધાણાનુ પાણી રોજ સવારે ખાલી પેટ પીવુ જોઈએ. થાઈરોઈડની કમી હોય કે વધુ બંનેમાં લાભકારી છે. ધાણામાં જોવા મળતા ખનીજ અને વિટામિન થાઈરોઈડ હાર્મોનને વિનિયમત કરવામાં મદદ કરે છે. 
 
ઈમ્યુનિટી વધે છે 
 
ધાણાનુ પાણી પીવાથી ઈમ્યુનિટી લેવલ વધે છે. તેમા રહેલ એંટીઓક્સીડેંટ શરીરમાં ફ્રી રેડિકલ્સને ઓછા કરે છે. જે અનેક બીમારીઓ સામે લડવામા મદદ કરે છે. 
 
વાળની મજબૂતી 
 
ધાણામાં વિટામિન કે, સી અને એ ભરપૂર હોય છે. ધાણાનુ પાણીનુ સેવન કરવાથી વાળ મજબૂત બનવા સાથે ઝડપથી તેનો ગ્રોથ પણ થાય છે. રોજ ધાણાનુ પાણી પીવાથી વાળનુ ખરવુ અને તૂટવુ ઓછી થાય છે. આ ઉપરાંત ધાણાનુ તેલ અને હેયરમાસ્કની રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments