Publish Date: Sun, 08 Mar 2020 (15:23 IST)
Updated Date: Sun, 08 Mar 2020 (13:06 IST)
Holi 2020- રંગનો મહાપર્વ હોળીમાં હોળિકા દહન ફાગણ મહીનાની શુક્લ પૂર્ણિમા પર નવ માર્ચને પૂર્વ ફાગણ નક્ષત્રમાં સોમવારે પ્રદોષ કાળથી લઈને નિશામુખ રાત્રે 11 વાગીને 26 મિનિટ સુધી કરાશે. વિદ્વાનોનો કહેવું છે કે આ સંયોગ ખૂબ ખાસ છે. હોળી પર રાશિ પ્રમાણે આહુતિ આપવાથી ખાસ લાભ મળશે.
જ્યોતિષ વિદ્ધાનોના મુજબ હોળિકા દહનની રાખને ખૂબ પવિત્ર ગણાયુ છે. આ અગ્નિમાં ઘઉં, ચણાની નવી બાલી, શેરડીને શેકવાથી શુભતાનો વરદાન મળે છે. હોળીના દિવસે સંધ્યા વેળામાં તેનો તિલક લગાવવાથી સુખે સમૃદ્ધિ અને ઉમ્રમાં વૃદ્ધિ હોય છે. આ દિવસે નવી ઉપજ અને ખુશહાળીની કામના પણ કરાય છે. આ દિવસે હોળીની અગ્નિમાં શેકીને ધાન ખાવાથી સ્વાસ્થય હમેશા નિરોગી રહે છે. ઘરમાં મારા અન્નપૂર્ણાની કૃપા બની રહે છે.
હોળી પૂજનથી અનિષ્ટતાનો નાશ- ભારતીય જ્યોતિષ વિજ્ઞાન પરિષદના સદસ્ય કર્મકાંડ વિશેષજ્ઞનો કહેવું છે કે 9 માર્ચને હોળિકા દહનનો શુભ મૂહૂર્ત મિથિલા પંચાગ મુજબ પ્રદોષ કાળથી મધ્યરાત્રિ સુધી છે. જ્યારે બનારસી પંચાગના મુજબ પ્રદોષ કાળથી લઈને નિશામુખ રાત્રિ 11 વાગીને 26 મિનિટ સુધી છે. હોળિકા દહન માટે સવારે છ વાગીને 8 મિનિટથી લઈને 12.32 વાગ્યે સુધી ભદ્રા છે તેથી હોળિકા દહન ભફ્તા પછી જ કરાય છે. ભદ્રાને વિઘ્નકારક ગણાય છે. ભદ્રામાં હોળિકા દહન કરવાથી હાનિ અને અશુભ ફળ મળે છે.
-મેષ અને વૃશ્ચિક રાશિના લોકો ગોળની આહુતિ આપવી.
- વૃષ રાશિવાળા હોળીમાં ખાંડની આહુતિ આપવી.
- મિથુન અને કન્યા રાશિના લોકો કપૂરની આહુતિ આપવી.
- કર્કના લોકો લોભાનની આહુતિ આપવી.
- સિંહ રાશિના લોકો ગોળની આહુતિ આપવી.
- તુલા રાશિનાલોકો કપૂરની આહુતિ આપવી
- ધનુ અને મીનના લોકો જવ અને ચણાની આહુતિ આપવી.
- મકર અને કુંભ વાળા તલને હોળિકા દહનમાં નાખવી.