Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 માર્ચથી લાગી રહ્યુ છે હોળાષ્ટક, આ 8 દિવસ ભૂલથી પણ ન કરશો આ કામ

Webdunia
શનિવાર, 9 માર્ચ 2019 (17:04 IST)
આગામી 14 માર્ચથી હોળાષ્ટક લાગી રહ્યુ છે. જ્યોતિષચાર્ય મુજબ આ 8 દિવસમા ગ્રહો પોતાનુ સ્થાન બદલે છે. ગ્રહોના આ ફેરફારને કારણે હોળાષ્ટક દરમિયાન કોઈપણ શુભ કાર્યને શરૂ નથી કરી શકાતુ. વર્તમાન સંવત્સરના વિવાહ હવે ફકત એક અઠવાડિયુ રહેશે. 
 
હોળાષ્ટક લાગતાજ લગ્નનુ આ વાર્ષિક કેલેંડર સમાપ્ત થઈ જશે.  હવે નવુ સંવત લાગ્યા પછી લગ્નના સીઝન ફરી શરૂ થશે. આ વખતે જુલાઈ સુધી લગ્ન થતા રહેશે.  પછી દેવશયન થઈ જવાને કારણે લગ્ન ચાર મહિના માટે બંધ થઈ જશે. 
 
લગ્નની આ સીઝન ગયા નવેમ્બરમાં દેવોત્થાન અગિયારસથી શરૂ થઈ હતી. ત્યારથી પોષ મહિનાને છોડીને સતત લગ્ન થઈ રહ્યા છે. ઉત્તરાયણ લાગ્યા પછી યજ્ઞોપવીત વગેરે માંગલિક કાર્ય પણ શરૂ થઈ ગયા હતા. લગ્નના આ સીઝનમાં 25શુદ્ધ અને 36 સામાન્ય મુહુર્ત આવ્યા. 
 
હવે આ મહિનાની 14 તારીખથી હોળાષ્ટક શરૂ થઈ રહ્યુ છે. આ હોળાષ્ટક 21 માર્ચ ફાગણ સુધી ચાલશે. હોળાષ્ટકમાં કોઈપણ પ્રકારના માંગલિક કાર્ય કરવા નિષેધ છે.  હોળાષ્ટક સમાપ્ત થયા પછી  પણ જ્યોતિષિય દ્રષ્ટિથી ભદ્રાની છાયા બની રહેશે. સાથે જ ચૈત્ર કૃષ્ણ પક્ષ પણ શરૂ થઈ જશે. પરિણામસ્વરૂપ લગ્નના શુદ્ધ મુહૂર્ત પર વિરામ  લાગેલો રહેશે. 
 
જ્યોતિષાચાર્ય મુજબ વર્તમાન સંવત પાંચ એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહ્યુ છે. નવુ સંવત ચૈત્ર નવરાત્રિ સાથે છ એપ્રિલથી શરૂ થઈ જશે. સંવત દરમિયાન મુહૂર્ત વગરન આ લગ્ન પણ થઈ જાય છે.  જો કે નવા વર્ષમાં વિવાહ કેલેંડર સંવતથી શરૂ થશે. 
 
આ કેલેન્ડરના લગ્ન જુલાઈ સુધી ચાલતા રહેશે.  જે રીતે સૂર્ય અને ચંદ્દ્ર ગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓને ઘરમાંથી બાહર નીકળવાની મની હોય છે. એ જ રીતે હોળાષ્ટક દરમિયાન પણ ગર્ભવતી સ્ત્રીઓ નદી નાળા પાર કરવાની મનાઈ રાહે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments