Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hanuman Janmotsav 2022: હનુમાન જયંતી આ વિધિથી કરો હનુમાનજીની પૂજા પૂરી થશે મનોકામના

Webdunia
સોમવાર, 11 એપ્રિલ 2022 (13:03 IST)
Hanuman Jayanti 2022: ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાને દરેક વર્ષ રામ ભક્ત હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાય છે. સંકટમોચન હનુમાનજીના ભક્તોમાં હનુમાન જયંતીના અવસરે ખૂબ ઉત્સાહ જોવા મળે છે અને દેશભરમા આ દિવસે ખૂબ ધૂમધામથી ઉજવાય છે. શ્રી વિષ્ણુને રામ અવતારના સમયે સહયોગ કરવા માટે રૂદ્રાવતાર હનુમાનજીનો જન્મ ઉદ્દેશ્ય જ રામ ભક્ત હતો. આ વર્ષ હનુમાન જયંતી 16 એપ્રિલને ઉજવાશે. આ દિવસે વ્રત રાખશે અને હનુમાનજીનો જન્મ ઉત્સવ ઉજવાશે. ચાલો જાણી હનુમાન જયંતીની તિથિ મહત્વ અને પૂજા વિધિના વિશે 
 
હનુમાન જયંતી 2022ની તિથિ 
પૂર્ણિમા તિથિ શરૂઆત- 16 એપ્રિલ શનિવારે સવારે 2.25 પર 
પૂર્ણિમા તિથિ સમાપ્ત - 17 એપ્રિલ રવિવાર રાત્રે 12.24 પર 
 
હનુમાન જયંતી પર બની રહ્યા છે શુભ યોગ 
પંચાગ ગણનાના મુજબ આ વર્ષ હનુમાન જયંતી પર રવિ યોગ બની રહ્યો છે. રવિ-યોગને સૂર્યનો ખાસ અસર મળવાના કારણે પ્રભાવશાળી યોગ માનવામાં આવે છે. આ યોગમાં કરેલ કોઈ પણ કાર્ય સફળ હોય છે. પંચાગ મુજબ આ દિવસે 16 એપ્રિલને હસ્ત નક્ષત્ર સવારે 8.40 મિનિટ સુધી છે. ત્યારબાદ ચિત્રા નક્ષત્ર શરૂ થશે. 
 
હનુમાન જયંતીના દિવસે પૂજા દરમિયાન હનુમાનજી માટે આ પૂજન સામગ્રીની જરૂર પડશે 
પૂજન સામગ્રી 
હનુમાન જયંતીના દિવસે પૂજા દરમિયાન હનુમાન જી માટે આ પૂજન સામગ્રીની જરૂર પડશે. લાલ લંગોટ, જળ કળશ, પંચામૃત, જનેઉ, ગંગાજળ, સિંદૂર ચાંદી સોનાનાનો વર્ક, લાલ ફૂલ અને માલા ઈત્ર શેકેલા ચણા, ગોળ, પાનનો બીડો, નારિયેળ, કેળા, સરસવનુ તેલ, ચમેલીનો તેલ, ઘી, તુલસી પત્ર, દીવો, ધૂપ અગરબત્તી, કપૂર વગેરે. 
 
પૂજા વિધિ 
આ દિવસે ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે ચોમુખી દીવો પ્રગટાવો. તે સિવાય હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો. 
હનુમાનજીને ગેંદા, કનેર, ગુલાવના ફૂલ અર્પિત કરો. 
પ્રસાદમાં માલપુઆ, લાડુ, ચૂરમા, કેળા, અમરૂદ વગેરેનો ભોગ લગાવો. 
હનુમાનજીની ફોટાની સામે ઘીનો દીવો પ્રગટાવો. 
હનુમાનજીને સિંદૂરનો ચોલા ચઢાવો તેનાથી મનોકામના તરત જ પૂર્ણ હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - અજાણી વ્યક્તિ સાથે મિત્રતા:

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments