Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેસિપિ - પંચરત્ન દાળ

Webdunia
સામગ્રી  - તુવેર દાળ - 25 ગ્રામ, મગની દાળ - 25 ગ્રામ, અડદની દાળ 25 ગ્રામ, ચણાની દાળ - 25 ગ્રામ, મસૂરની દાળ 25 ગ્રામ, મીઠું સ્વાદ અનુસાર.

વઘાર માટે  સામગ્રી  - 1 થી 2 ચમચી ઘી, ચપટી હિંગ, નાની અડધી ચમચી જીરૂ, કાળા મરીના દાણા 6થી 8, લવિંગ - 4, મોટી ઇલાયચી - 2, આખા લાલ મરચા - 2, આદું - એક ઇંચના લાંબા ટૂકડામાં, લીલા મરચાં - 2 ઝીણા કાપેલા, અડધી ચમચી હળદરનો પાવડર, 1 ચમચી ધાણાજીરૂ, કોથમીર.

બનાવવાંવી રી ત - પાંચેય દાળોને સાફ કરી ધોઇ લો અને 1 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારપછી દાળ કૂકરમાં નાંખો અને તેમાં 1 કપ પાણી, હળદર અને મીઠું નાંખી દો. 1 સીટી વાગે ત્યાંસુધી બાફો અને ગેસની આંચ બંધ કરી દો. કૂકરનું પ્રેશર પૂરું થાય એટલે કૂકર ખોલો.

આખા મસાલા જેવા કાળા મરી, લવિંગ અને ઇલાયચીને સાફ કરી અધકચરાં દળી લો.

કોઇ તપેલીમાં ઘી નાંખી ગરમ કરો. ગરમ ઘીમાં હીંગ અને જીરૂ નાંખી તતડાવો, જીરૂ તતડે એટલે દળેલા મસાલા અને લાલ મરચાંના ટૂકડા કરીને નાંખો, સાથે આદું અને લીલા મરચાં પણ નાંખો. થોડું સાંતળી દો. પછી આ જ તપેલીમાં ઉકાળેલી દાળ નાંખો. દાળ સારી રીતે મિક્સ થાય ત્યાંસુધી રાંધો. જો જરૂર જણાય તો પાણી ઉમેરો. હવે ગેસ બંધ કરી દો અડધી લીલી કોથમીર દાળમાં નાંખી હલાવી દો. તૈયાર છે તમારી પંચરત્ન દાળ.

પીરસતી વખતે બાઉલમાં દાળ કાઢી ઉપરથી બાકી રહેલી કોથમીરથી ગાર્નિશ કરો. ગરમાગરમ પંચરત્ન દાળ રોટલી કે ભાત સાથે પીરસો.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments