Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી રેસીપી - મિર્ચી વડા

Webdunia
શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (11:15 IST)
સામગ્રી -  જાડા મરચા 250 ગ્રામ, બટાકા 4 મઘ્યમ, બેસન 3/4 કપ, લીલા મરચાં 3-4 સમારેલા લીલા ધાણા અડધો કપ, લાલ મરચુ 1/4 ચમચી, ચાટ મસાલો 1/2 ચમચી, મીઠુ સ્વાદ મુજબ તળવા માટે તેલ 
મરચા ભરવા માટે - 250 ગ્રામ બટાકા/5 બટાકા મીઠુ 1/2 નાનકડી ચમચી, લાલ મરચુ, ગરમ મસાલો 1/4 નાની ચમચી, ચાટ મસાલો 1/4 ચમચી, લીલા ધાણા 1 મોટી ચમચી 
 
મિર્ચી વડાનું  ભરાવન બનાવવાની વિધિ - બાફેલા બટાકાને છોલીને મસળી લો. હવે મીઠુ, લાલ મરચુ પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો અને સમારેલા લીલા ધાણાને મસળેલા બટાકામાં નાખો અને બધા સામગ્રીને પરસ્પર સારી રીતે મિક્સ કરો. મરચાંનુ ભરાવન હવે તૈયાર છે. 
 

મિર્ચી વડાની વિધિ જોવા માટે આગળ જુઓ 

મિર્ચી વડા બનાવવાની રીત - મરચાને સારી રીતે ધોઈને કિચન પેપર દ્વારા સારી રીતે લૂંછી લો.  હવે મરચાને વચ્ચેથી હીરો લગાવી મરચાની અંદરના બીજ કાઢી નાખો.  ધ્યાન રાખો કે મરચાં બે ટુકડામાં કપાય ન જાય.  મરચાંની દીઠુ રહેવા દો.  તેનાથી મરચું પકડવુ સહેલુ પડે છે અને પીરસતી વખતે પણ સુંદર દેખાય છે. 
 
હવે ચીરો પાડેલ મરચાને ખોલી તેમા બટાકાનુ મિશ્રણ ભરી લો.  એક વાડકામાં બેસન લીલા ધાણા મીઠુ, લાલ મરચુ અને ચાટ મસાલો લઈને થોડુ થોડુ પાણી નાખતા પકોડાનું મિશ્રણ બનાવો. ખીરુ ન તો વધુ પાતળુ હોવુ જોઈએ કે ન તો ઘટ્ટ.
હવે એક કડાહીમાં તેલ ગરમ કરો જ્યારે તેલ ગરમ થઈ જાય તો ભરેલા લીલા મરચાંને બેસનના ખીરામાં ડુબાવીને તેલમાં નાખો. આ રીતે બધા મરચા બેસનના ખીરામાં ડુબાવીને તળો.  હવે ધીમા તાપ બધા મરચા સોનેરી થતા સુધી તળો.  મિર્ચી વડા તળવામાં 7-8 મિનિટનો સમય લાગે છે. તળેલા મરચાને કિચન પેપર પર મુકીને તેલ નિચોવી લો.  આ રીતે બધા મરચા તળી લો.  સ્વાદિષ્ટ મરચા વડાને ટોમેટો કેચઅપ કે પછી લીલા ધાણાની ચટણી સાથે સર્વ કરો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લગ્ન પહેલા જ વરરાજાએ ગુપ્તાંગ કાપી નાખ્યું; પરિવાર અંધાધૂંધીમાં ફસાઈ ગયો; યુવાનની હાલત ગંભીર - તેણે આવું પગલું કેમ ભર્યું?

વાંદરાએ બેગ છીનવી લીધી, ઝાડ પરથી 2 લાખ રોકડા વરસાવ્યા; કોર્ટહાઉસમાં અંધાધૂંધી મચી ગઈ

"દેશવાસીઓએ બાળકો અને વૃદ્ધોને ગરમીથી બચાવવા જોઈએ," "મન કી બાત" ના પીએમ મોદીના મુખ્ય મુદ્દા

તોફાન અને વરસાદે તબાહી મચાવી, યુપીમાં 31 અને બિહારમાં 17 લોકોના મોત

રેતીના તોફાનની ચેતવણી, 20 રાજ્યો માટે 48 કલાકનું એલર્ટ, આગામી 5 દિવસમાં હવામાન કેવું રહેશે?

વધુ જુઓ..

ધર્મ

Shambhu Stuti: ભગવાન રામે શંભુ સ્તુતિની રચના શા માટે કરી? તેના નિયમો, ગીતો અને ફાયદા જાણો

અધિક માસ સ્પેશિયલ ફરાળ- સાબુદાણાના વડા

અધિક માસમાં સત્યનારાયણ કથાનું ધાર્મિક મહત્વ

Suryadev mantra- સૂર્યદેવ મંત્ર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -31 મે 2026

આગળનો લેખ
Show comments