Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં પ્રથમ વખત યોજાશે NRG ગરબા

Webdunia
શનિવાર, 21 જાન્યુઆરી 2017 (13:58 IST)
કવિ ખબરદાર સાહેબની એક કાવ્યપંક્તિ છે જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાત બહાર એક કરોડ અને ભારત બહાર આશરે 65 લાખ એનઆરજીઓ વસે છે. તેમના દિલમાં રહેલો વતન પ્રેમ વિવિઘ રીતે અમલમાં હોય છે. ત્યારે કવિ ખબરદાર સાહેબની આ પંક્તિને ખરેખર સાચી ઠેરવતી બાબતો અનેક છે. તેમાંની એક બાબત હવે અમદાવાદમાં જોવા મળશે. અમદાવાદમાં આગામી 28મી જાન્યુઆરીએ ગ્લોબલ ગુજરાતી સંગઠનના ઉપક્રમે એનઆરજી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતેના નારણપુરા સ્થિત નવદિપ હોલમાં યોજાનારા આ ગરબા મહોત્સવમાં આશરે 500થી વધુ એનઆરજી ભાઈ બહેનો ભાગ લેશે. જે લોકોએ દરિયા પાર ગરબાની સંસ્કૃતિનું જતન કર્યું છે તેવી કેટલિક વ્યક્તિ વિશેષનું અભિવાદન પણ કરવામાં આવશે. આ વ્યક્તિ વિશેષમાં ભારતીબેન જોશી ( લંડન), સવિતાબેન પટેલ (ફિજી), અશોકભાઈ ગોકળદાસ પટેલ ( અમેરિકા), જોગિંગરસિંહ છાબરા ( ઓસ્ટ્રેલિયા)ચેતન જેઠવા, સ્મિતા સુધીર શેઠ, રિયા શર્મા, ભાવનાબેન ગોકલાણી, ભાવિન ઠાકર અને રશ્મિન સાવલિયાનો સમાવેશ થાય છે. આ ગરબા મહોત્સવમા જાણીતા ગાયક પાર્થ ઓઝા અને સંજય ઓઝા રાસ ગરબા ગવડાવશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments