Webdunia - Bharat's app for daily news and videos

Install App

2002 રમખાણો - સરદારપુરા કાંડમાં હાઈકોર્ટે 14ને નિર્દોષ છોડ્યા, 17ને દોષિત ઠેરવ્યા

Webdunia
શુક્રવાર, 21 ઑક્ટોબર 2016 (00:01 IST)
2002માં થયેલા ગોધરાકાંડ બાદ રાજ્યમાં ફાટી નીકળેલા રમખાણોમાં 33 લોકોની જેમાં હત્યા કરાઈ હતી તેવા સરદારપુરા રમખાણ કેસમાં હાઈકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. આ કેસમાં મહેસાણાની નીચલી કોર્ટે કુલ 31 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આરોપીઓ દ્વારા 2012માં મહેસાણાની નીચલી કોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. જેના પર સુનાવણી કરતા કોર્ટે દોષિત ઠેરવાયેલા 31 આરોપીઓમાંથી 14ને પુરાવાના અભાવે મુક્ત કર્યા છે, જ્યારે 17ને દોષિત ઠેરવ્યા છે. આ ઘટનાની તપાસ કરનારી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે તમામ આરોપીઓને ફાંસીની સજા આપવાની માગ કરી હતી. 2002ના આ કેસમાં 33 બાળકો અને મહિલાઓને જીવતા સળગાવવામાં આવ્યાં હતાં. સરદારપુરા હત્યાકાંડને 1500 લોકોના ટોળાંએ અંજામ આપ્યો હતો. જેમાંથી 73ની સામે રાયોટિંગ, હત્યા, હત્યાનો પ્રયાસ સહિતના આરોપ મૂકાયા હતા. જેમાંથી મહેસાણાની નીચલી કોર્ટે 31 આરોપીઓને દોષિત ઠેરવી તમામને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે, આરોપીઓ દ્વારા નીચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેના પર સુનાવણી કરતાં કોર્ટે 14ને પુરાવાના અભાવે મુક્ત કર્યા હતા.
વધુ જુઓ..

જરૂર વાંચો

શરીરમાં ક્યાં જમા થાય છે યુરિક એસિડ, જાણો કયા સ્તરે પર પહોચતા નિયંત્રિત કરવું બની જાય છે મુશ્કેલ

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

વધુ જુઓ..

નવીનતમ

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

આગળનો લેખ
Show comments