Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવાજીનું હાલરડું (Shivajinu Halradu)

Webdunia

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (૨)

બાળુડાને માત હીંચોળે

ધણણણ ડુંગરા બોલે.

શિવાજીને નીંદરું ના’વે

માતા જીજાબાઇ ઝુલાવે.

 

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત

માતાજીને મુખ જે દીથી,

ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

 

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ -

કાલે કાળાં જુદ્ધ ખેલાશે :

સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

 

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ -

રહેશે નહીં, રણઘેલુડા !

ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

 

પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર -

કાયા તારી લોહીમાં ન્હાશે :

ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

 

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ -

તે દી તારે હાથ રહેવાની

રાતી બંબોળ ભવાની….શિવાજીને…

 

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય -

તે દી તો સિંદોરિયા થાપા

છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

 

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ -

તે દી તારાં મોઢડાં માથે

ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

 

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર -

તે દી કાળી મેઘલી રાતે

વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

 

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ -

તે દી તારી વીરપથારી

પાથરશે વીશભુજાળી……શિવાજીને…

 

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય -

તે દી તારે શિર ઓશીકાં

મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

 

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ -

જાગી વ્હેલો આવ, બાલુડા !

માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

 

જાગી વ્હેલો આવજે, વીરા !

ટીલું માના લોહીનું લેવા !

 

શિવાજીને નીંદરું ના’વે

માતા જીજાબાઇ ઝુલાવે.

બાળુડાને માત હીંચોળે

ધણણણ ડુંગરા બોલે.

 

 

ઝવેરચંદ મેઘાણી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભારે વરસાદથી તબાહી, થોડી જ સેકન્ડોમાં ઘર જમીનદોસ્ત; ભયાનક વિડિઓ જુઓ

EV Scooter ખરીદતા પહેલા વાંચો, કંઈ બેટરી આપે છે સૌથી વધુ રેંજ ? જાણો 5 પ્રકારની EV બેટરીઓમા અંતર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી! 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ જારી, ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ચાંદી 2 લાખ રૂપિયા અને સોનું 50,000 રૂપિયા સસ્તું થયું

વધુ જુઓ..

ધર્મ

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

આગળનો લેખ
Show comments