Webdunia - Bharat's app for daily news and videos

Install App

આતંકવાદ સામે કડક વલણ- એક સાથે 81 લોકોને ફાંસી

Webdunia
રવિવાર, 13 માર્ચ 2022 (11:25 IST)
સાઉદી અરબે શનિવારે 81 લોકોને ફાંસીની સજા આપી હતી. આ સાથે સાઉદી અરબમાં એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં ફાંસી આપવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે.
 
સાઉદી અરબના ગૃહ મંત્રાલયને ટાંકી કહ્યું છે કે ફાંસીની આપવામાં આવી હતી તેમાં 73 સાઉદી નાગરિક, સાત યમન નાગરિક તથા એક સીરિયાના નાગરિકનો સમાવેશ થાય છે. 

સાઉદી અરેબિયાનું કહેવું છે કે શનિવારે 81 પુરુષોને મોતની સજા આપવામાં આવી હતી. આ આંકડો ગત આખા વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં આપવામાં આવેલી મોતની સજા કરતાં વધુ છે.
 
સરકારી ન્યૂઝ એજન્સી એસપીએનના રિપોર્ટ મુજબ, યમનના સાત તથા સીરિયાના એક નાગરિકને પણ મોતની સજા આપવામાં આવી છે. તેમની ઉપર ઉગ્રવાદ ઉપરાંત "એક કરતાં વધુ જઘન્ય ગુનાઓ" માટે આ સજા આપવામાં આવી છે.
 
સાઉદી અરેબિયામાં મોતની સજા વિરુદ્ધ અનેક વખત દેખાવ થઈ ચૂક્યા છે.
 
સાઉદી સરકારનું કહેવું છે કે કેટલાક લોકોના સંબંધ કથિત ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ, અલ-કાયદા સાથે તથા યમનના હૂતી બળવાખોર સમૂહો સાથે હતા.
 
માનવ અધિકાર સંગઠનોનું કહેવું છે કે આમાંથી અનેક આરોપીઓને નિષ્પક્ષ રીતે કાયદેસર પોતાની દલીલ આપવાની તક મળી ન હતી. જોકે, સાઉદી સરકાર આ આરોપોને નકારે છે.
 
એસપીએના રિપોર્ટ પ્રમાણે, જેમને મોતની સજા મળી હતી, 13 ન્યાયાધીશ દ્વારા તેમના કેસની સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન તેઓ ત્રણ તબક્કાવાળી ન્યાયવ્યવસ્થા પ્રક્રિયામાંથી પસાર થયા હતા.
 
આ લોકો ઉપર દેશ માટે મહત્ત્વપૂર્ણ આર્થિક ઠેકાણાં ઉપર હુમલો કરવાનું કાવતરું ઘડવાના, સુરક્ષાબળોને મારવાના તથા તેમને ટાર્ગેટ કરવાના, અપહરણ, અત્યાચાર, બળાત્કાર તથા અન્ય દેશોમાંથી તસ્કરી કરીને હથિયાર ઘૂસાડવાના આરોપ મૂકવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ સાથે જોડાયેલો મોટો ખુલાસો, જાણો કોણ છે અને આરોપી ક્યાંનો છે

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની થાણેથી ધરપકડ કરવામાં આવી, આરોપીએ ગુનો કબૂલ્યો.

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

વધુ જુઓ..

નવીનતમ

મિરર વર્ક આઉટફિટ પહેરવાનું મન થાય છે, ગુજરાતના આ સ્થળોની શોધખોળ કરો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

આગળનો લેખ
Show comments