Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીલંકાના રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી, દેશમાં સામાન્ય ચૂંટણી યોજાશે

Webdunia
બુધવાર, 25 સપ્ટેમ્બર 2024 (16:13 IST)
મંગળવારે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ સંસદ ભંગ કરીને દેશમાં વહેલી સામાન્ય ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. સરકારે એક આદેશમાં જણાવ્યું કે દેશમાં 14 નવેમ્બરના રોજ સામાન્ય ચૂંટણી યોજાશે. શ્રીલંકામાં સાલ 2020માં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.
 
શ્રીલંકામાં પણ સંસદસભ્યોનો કાર્યકાળ પાંચ વર્ષ સુધીનો હોય છે. હવે સંસદ ભંગ થતા દેશમાં નિર્ધારિત સમય કરતાં ચૂંટણી વહેલી થશે.
 
રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાના થોડા સમય બાદ દિસાનાયકેએ જણાવ્યું હતું કે, એવી સંસદને ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી જેને લોકોની જરૂરિયાત વિશે સમજ ન હોય.
 
રાષ્ટ્રપતિ દિસાનાયકેએ મંગળવારે પ્રાધ્યાપકથી સાંસદ બનેલાં હરિની અમરાસૂર્યાને વડાં પ્રધાન તરીકે પસંદ કર્યા છે. સાથે તેમને ન્યાય, શિક્ષણ અને શ્રમ મંત્રાલયની જવાબદારી પણ સોંપી છે.
 
દિસાનાયકે અને અમરાસૂર્યા એમ બંને વામપંથી તરફી નૅશનલ પિપલ્સ પાવર ગઠબંધનનાં સભ્યો છે. આ ગઠબંધન પાસે 225 બેઠકો ધરાવતી શ્રીલંકાની સંસદમાં માત્ર ત્રણ સાંસદો છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

Gujarati Recipe- ડુંગળીની ચટણી

Air Cooler Tips: કૂલરમાંથી આવશે ઠંડી હવા, ફક્ત કપડાનો ઉપયોગ કરીને આ વાયરલ ઉપાય અજમાવો

વધુ જુઓ..

નવીનતમ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

આગળનો લેખ
Show comments