Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાપાન પોલીસે સ્વીકાર્યું, શિન્ઝો એબેની સુરક્ષામાં હતી ત્રુટિઓ

Webdunia
રવિવાર, 10 જુલાઈ 2022 (13:00 IST)
જાપાનના પૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબેની હત્યા બાદ જાપાન પોલીસે સ્વીકાર્યું છે કે તેમની સુરક્ષામાં ખામી હતી.
 
ગોળી વાગ્યા બાદ તેમને કાર્ડિયાક ઍરેસ્ટ પણ આવ્યો. ત્યાર બાદ હૉસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.
 
નારા પોલીસ પ્રમુખ તુમોઆકી ઓનિજુકાએ કહ્યું, "આ વાતથી ઇનકાર કરી શકાય નહીં કે સુરક્ષામાં સમસ્યા હતી."
 
શિન્ઝો એબે પર ચૂંટણીપ્રચાર દરમિયાન થયેલા આ હુમલાએ સમગ્ર જાપાનને હચમચાવી નાખ્યું છે. પોલીસનું કહેવું છે કે 41 વર્ષીય તેત્સુયા યામાગામી એક 'વિશેષ સંસ્થા' સાથે બદલો લેવા માગતો હતો.
 
જાપાની મીડિયા સૂત્રોને ટાંકીને લખે છે કે યામાગામીનું માનવું હતું કે એક ધાર્મિક સમૂહે તેમની માતાને આર્થિક રીતે બરબાદ કરી નાખી હતી. તેમના મુજબસ શિન્ઝો એબે પણ આ ધાર્મિક સમૂહ સાથે જોડાયેલા છે.
 
વળી રવિવારે જાપાનમાં અપર હાઉસ માટે રવિવારે મતદાન યોજાશે. એબેની હત્યા બાદ પણ ચૂંટણી રાબેતા મુજબ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

આગળનો લેખ
Show comments