Biodata Maker

તુર્કીમાં આતંકવાદી હુમલાને લઈને મોટું અપડેટ, અત્યાર સુધીમાં 5ના મોત; 22 લોકો ઘાયલ

Webdunia
ગુરુવાર, 24 ઑક્ટોબર 2024 (13:14 IST)
Ankara Terror Attack: તુર્કીની રાજધાની અંકારામાં એક વિમાનની કંપનીના મુખ્યાલય બહાર એક વિસ્ફોટ થયો છે. તુર્કીના અધિકારીઓનું કહેવું છે કે આ ચરમપંથીઓ દ્વારા થયેલો હુમલો  છે.
 
 
તુર્કીશ ચૅનલ ટૅલી1ના હવાલે સમાચાર સંસ્થા રૉયટર્સે કહ્યું છે કે આ હુમલામાં પાંચ લોકોનાં મૃત્યુ થયા છે જ્યારે કે 22 ઘાયલ છે. તુર્કીના ગૃહમંત્રીએ કહ્યું છે કે આ મામલે બે શંકાસ્પદ નજરે પડ્યા છે.
 
આ વિસ્ફોટ રાજધાની અંકારાથી 40 કિલોમીટર દૂર થયો છે.
 
અગાઉ તુર્કીના ગૃહમંત્રી અલી યેરલિકાયાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “દુર્ભાગ્યથી કેટલાક લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાક લોકો ઘાયલ છે.”
 
NTV ટેલિવિઝન ચૅનલમાં દેખાડવામાં આવી રહેલી તસવીરોમાં ટર્કિશ ઍરોસ્પૅસ ઇન્ડસ્ટ્રીઝની સામે ધુમાડો દેખાઈ રહ્યો છે.
 
સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે ગોળીબારના અવાજો પણ સંભળાઈ રહ્યા છે.
 
અંકારાના મૅયર મંસૂર યાવસે કહ્યું, “આ સમાચારથી મને દુ:ખ થયું છે. હું ઇશ્વરને પ્રાર્થના કરું છું કે અમારા શહીદો પર દયા કરે અને ઘાયલોને જલદી સાજા કરે. અમે આતંકવાદની નિંદા કરીએ છીએ.”
 
તુર્કીના ન્યાય મંત્રીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી કે આ હુમલાની ન્યાયિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
 
જોકે આ હુમલામાં કોણ સામેલ છે તે અંગે ઓછી માહિતી મળી રહી છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
 
દરમિયાન જે સીસીટીવી ફૂટેજ વાઇરલ થઈ રહ્યાં છે તેમાં શંકાસ્પદ હુમલાખોરો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે, તસવીરમાં દેખાતા બે ઇસમો જ હુમલાખોર છે કે નહીં તે અંગે સુરક્ષા એજન્સીઓ તપાસ 
 
કરી રહી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - સૂર્ય પર લેકચર

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

આગળનો લેખ
Show comments