Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનના કરાચીમાં ખાદ્ય વિતરણ કેન્દ્રમાં ભાગદોડ, 12નાં મૃત્યુ

Webdunia
રવિવાર, 2 એપ્રિલ 2023 (10:37 IST)
પાકિસ્તાનના કરાચીમાં શુક્રવારે રમઝાન નિમિત્તે આયોજિત એક ખાદ્ય વિતરણ કેન્દ્રમાં થયેલી ભાગદોડમાં મહિલાઓ અને બાળકો સહિત 12 લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
 
આ ભાગદોડની શરૂઆત ત્યારે થઈ, જ્યારે કેટલાક લોકોએ અજાણતામાં વીજળીના તાર પર પગ મૂકી દીધો.પોલીસ પ્રમાણે, ત્યાર પછી ધક્કામુક્કી શરૂ થઈ. જેના લીધે ઘણા લોકો પાસે આવેલા નાળામાં પડ્યાં.
 
ત્યાંના એસએસપી અમીરુલ્લાહે ભારતીય સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું, "શરુઆતમાં વીજળીના તાર પર પગ મૂકવાથી બે લોકોનાં મૃત્યુ થયાં, જેના કારણે ભાગદોડ મચી."
 
કિમારી પોલીસના એક પ્રવક્તાએ શરૂઆતમાં જણાવ્યું હતું કે ઘટનામાં કુલ 11 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયાં છે.
 
તેમના અનુસાર, ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઘટના સંદર્ભે તપાસ ચાલી રહી છે.
 
સિંધ પ્રાંતના મુખ્ય મંત્રી મુરાદઅલી શાહે આ ઘટના વિશે કરાચી પોલીસ આયુક્ત મોહમ્મદ ઇકબાલ મેમણ પાસે રિપોર્ટ માગ્યો છે.
 
થોડા દિવસો પહેલાં જ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સરકારી રૅશન વિતરણ કેન્દ્રમાં મફત લોટ લેવા આવેલા 11 જેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments