Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચોમાસામાં લીલા શાકભાજી ન ખાવા જોઈએ, કેમ ? જાણો ...

Webdunia
સોમવાર, 3 જુલાઈ 2017 (20:39 IST)
જો તમને લીલા શાકભાજી ખાવા ગમે છે તો ચોમાસાની ઋતુમાં તેને ખાવાનું ટાળો. આમ તો લીલા શાકભાજીમાં ઘણા પોષક તત્વો હોય છે. પણ જો એક્સપર્ટનુ માનીએ તો તેને વર્ષાઋતુમાં ખાવાથી બચવુ જોઈએ. 
 
ચોમાસા દરમિયાન આ શાકભાજીમાં સારી રીતે સૂરજની રોશની નથી પહોંચતી. જેને કારણે તેમા કીટાણું વધી જાય છે. આ ઋતુમાં શાકભાજીઓનુ સેવન કરવાથી વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરી જાય છે. જેનાથી અનેક સંક્રામક બીમારીઓ થઈ શકે છે. સાથે જ તેનાથી શરીરમાં ઉર્જાનું સ્તર નીચે જતુ રહે છે અને પાચન તંત્ર બગડી જાય છે. 
 
પત્તેદાર શાકભાજીઓ ખાતા પહેલા પાણીથી ધુવો અને પછી તેને મીઠાવાળા પાણીમાં થોડીવાર સુધી પલાળી મુકો. જેનાથી તેમા 
રહેલા કીટાણુ ખતમ થઈ જશે અને આ તે ખાવા લાયક બનશે.  હવે આવો જાણીએ કે ચોમાસામાં લીલા પાનવાળા શાકભાજીનું સેવન કેમ ન કરવુ જોઈએ. 
 
1. કીટાણુંઓથી ભરેલા હોય છે લીલા શાકભાજી 
 
લીલા પાનવાળા શાકભાજીમાં બેક્ટેરિયા ખૂબ વધુ  હોય છે. શાકભાજીના પાનમાં તે પોતાનું ઘર બનાવી લે છે. આ કીડા લીલા રંગના હોવાને કારણે પકડમાં આવતા નથી અને પેટમાં જતા રહે છે જેનાથી પેટમાં સંક્રમણ થઈ જાય છે. 
 
2. મોટાભાગની શાકભાજી કીચમાં ઉગે છે. 
 
મોટાભાગના લીલા પાનવાળા શાક વરસાદને કારણે કીચડમાં ઉગે છે. જેનાથી તે ખૂબ ખરાબ રીતે સંક્રમિત થઈ જાય છે. જો તેને સારી રીતે ધોઈને ખાવામાં ન આવે તો તબિયત ખરાબ થઈ શકે છે.  
 
3. ગંદા સ્થાન પર મુકવામાં આવે છે. 
 
જ્યારે શાકભાજીઓ રમતોથી કટ કરી આવે છે તો તેમને મંડીમાં ક્યાય પણ મુકવામાં આવે છે. આવામાં શાકભાજીઓને દૂષિત સ્થાન પર મુકતા બીમારીઓ થવાની આશંકા ખૂબ વધી જાય છે. 
 
4. કીડા અંદર ધુસેલા રહે છે 
 
શાકભાજીમાં કીડા એ રીતે ધુસેલા રહે છે કે સ્પષ્ટ દેખાતા નથી. તેનો ઉપયોગ કરતા પહેલા મીઠાવાળા ગરમ પાણીમાં નાખીને ઉકાળી લો અને પછી પકવો. 
 
5.  રંગ ભરવા માટે ઈંજેક્શન લગાવવામાં આવે છે 
 
વરસાદના મોસમમાં મોટાભાગે શાકભજીવાલા સારા પૈસા કમાવવા અને શાકભાજીને લીલીછમ બતાડવાના ચક્કરમાં તેને રંગથી ભરવાનું ઈંજેક્શન લગાવી દે છે. આ નકલી રંગની સીધી અસર આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા પર પડે છે. જેનાથી શરીરને તમામ પ્રકારની બીમારીઓ થઈ શકે  છે. 
 
6. ચોમાસામાં બહારનુ ખાવાથી સાવધ રહો 
 
જો તમે બહાર ખાવાના શોખીન છો તો આ પ્રકારની શાકભાજીઓથી બનેલ ડીશ ખાશો. અનેક હોટલો અને ઢાબામાં શાકભાજી સારી રીતે ધોવાતી નથી જેનાથી પેટમાં સંક્રમણ થવાની શક્યતા રહે છે. 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments