Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિટામિન બી12 થી ભરપૂર હોય છે આ દાળ, રોજ એક વાડકી પીવાથી દૂર થઈ જશે Vitamin B12 Deficiency

Webdunia
બુધવાર, 10 સપ્ટેમ્બર 2025 (13:21 IST)
Vitamin B12 Deficiency: શરીર માટે સૌથી જરૂરી વિટામિનમાંથી એક છે વિટામિન બી 12. આ વિટામિનની ઉણપ થતા શરીર એક નહી પણ અનેક રીતે પ્રભાવિત થાય છે.  વિટામિન બી 12 ની કમી પર નર્વ ડેમેજ થવા માંડે છે. તેનાથી હાથ પગમાં ઝનઝનાહટ અનુભવાય છે. ક્યારેક હાથ પગ સુન્ન પડી જાય છે. જોવામાં પરેશાની થાય છે. સરળતાથી શ્વાસ ફુલી જાય છે. પેટની પરેશાની થાય છે.  દિલની પરેશાની વધે છે. બેલેંસ કરવામાં તકલીફ થાય છે.  પાચન સંબંધી સમસ્યાનુ સંકટ વધતુ જાય છે અને સાથે જ મેમોરી લૉસ જેવી મગજની બીમારીઓ થઈ શકે છે.  આવામાં શરીરમાં પર્યાપ્ત માત્રામાં વિટામિન બી12 (Vitamin B12) ની જરૂર હોય છે. આવામાં ખૂબ વધુ શાકાહારી ફુડ્સ નથી જેમા શરીરને વિટામિન બી12 મળી શકે. પણ એવી દાળ છે જેને તમે ખાનપાનનો ભાગ બનાવી શકો છો. જાણો એ કંઈ દાળ છે જેનાથી શરીરને વિટામિન બી12 મળે છે.    
 
કઈ દાળમાં હોય છે વિટામિન બી 12,  Which Dal Contains Vitamin B12
દાળ સામાન્ય રીતે વિટામિન B12 થી ભરપૂર હોતા નથી, પરંતુ મગની દાળ અમુક હદ સુધી વિટામિન B12 પ્રદાન કરી શકે છે. ખાસ કરીને જો મગની દાળને અંકુરિત કરીને ખાવામાં આવે, તો તેમાંથી વિટામિન B12 મેળવી શકાય છે. મગની દાળ ફોલેટ, આયર્ન અને ફાઇબરથી ભરપૂર હોય છે. મગની દાળનું સેવન વિટામિન B12 ના લક્ષણો ઘટાડવામાં પણ ફાયદાકારક હોઈ શકે છે. જોકે, વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે મગની દાળ પર આધાર રાખી શકાય નહીં.
 
વિટામિન B12 માં કઈ વસ્તુઓ ભરપૂર હોય છે?
 
- દૂધ અને દૂધના ઉત્પાદનોમાં વિટામિન B12 હોય છે. તેથી, દૂધ અને દૂધના ઉત્પાદનોને સંતુલિત આહારનો ભાગ બનાવવો જોઈએ.
 
- ઈંડા પણ વિટામિન B12 નો સારો સ્ત્રોત છે. તેને ખાવાથી શરીરને પ્રોટીન અને એમિનો એસિડ પણ મળે છે.
 
- સૅલ્મોન માછલી વિટામિન B12 થી ભરપૂર હોય છે. તે ઓમેગા-3 ફેટી એસિડનો અદ્ભુત સ્ત્રોત પણ છે.
 
- વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે, તમે તમારા આહારમાં ફોર્ટિફાઇડ ખોરાક, રસ અને અનાજનો સમાવેશ કરી શકો છો.
 
- વિટામિન B12 ના શ્રેષ્ઠ સ્ત્રોત ક્લેમ્સ છે. જો તમે સીફૂડ ખાઓ છો, તો તમે ક્લેમ ખાવાથી વિટામિન બી 12 ની ઉણપને દૂર કરી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટનો ફટકો, જામીન રદ, 3 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ

સોના અને ચાંદીના ભાવ વધ્યા કે ઘટ્યા? આજે 10 ગ્રામ સોનાની કિંમત કેટલી થશે? 22K અને 18K ની કિંમત તપાસો.

સિયા ગોયલનો ચોંકાવનારો નવો ખુલાસો: તેણે શરૂઆતમાં કેતન માટે કંઈક બીજું આયોજન કર્યું હતું. જાણો યોજના કેમ બદલાઈ.

ગુજરાતમાં મેઘતાંડવથી જળબંબાકાર: ST બસોના પૈડા થંભ્યા, ટ્રેન વ્યવહાર ખોરવાયો, CM પટેલે યોજી ઉચ્ચસ્તરીય બેઠક, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિની સમીક્ષા કરી સેનાને રાખી એલર્ટ પર

કપ્તાન ઐય્યરે વૈભવ સૂર્યવંશીને લઈને આપ્યુ મોટુ નિવેદન, કહ્યુ - મને તેને વધુ સલાહ આપવાની જરૂર નથી

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

ગોરમા ની આરતી

જયા પાર્વતી ની આરતી-2

આગળનો લેખ
Show comments