Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ફળ ખાધા પછી ભૂલથી પણ ન પીશો પાણી નહી તો થશે પરેશાની

Webdunia
શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2023 (17:48 IST)
water after fruits
Water After Fruits Disadvantage : ફળ આરોગ્યનો ખજાનો હોય છે. વિટામિંસ, મિનરલ્સ, ફાઈબર અને આયરન જેવા પોષક તત્વોથી ભરપૂર ફળ ખાવાના અગણિત ફાયદા હોય છે. જો કે ફળ ખાવાના પણ નિયમ અને સાવધાનિયા હોય છે.  કેટલીક વસ્તુઓની સાથે ફળનુ સેવન નુકશાનદાયક હોઈ શકે છે.  ઘણા લોકો ખોરાક સાથે દિવસે કે બપોરે કે રાત્રે કોઈપણ વસ્તુ સાથે ફળ ખાઈ લે છે જે બિલકુલ યોગ્ય નથી. ફળ ખાધા પછી પાણી પીવુ પણ ખતરનાક સાબિત થઈ શકે છે.  આ આરોગ્ય માટે ભારે પડી શકે છે.  આવો જાણીએ 5 એવા ફળ વિશે જેમને ખાધા પછી જો  પાણી પીવામાં આવે તો પેટ સાથે સંબંધિત અનેક સમસ્યાઓ થઈ શકે છે. 
 
 કેળુ (Banana) - ઊર્જાના મજબૂત સ્ત્રોત કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કબજિયાત અને પેટની સમસ્યામાં રાહત મેળવવા માટે કેળાને ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જો તમે કેળા ખાધા પછી પાણી પીશો તો પાચનતંત્ર બગડી શકે છે.
 
જામફળ (Guava)- ફોલિક એસિડ, પોટેશિયમ અને કોપરની સાથે ફાઈબર, વિટામિન એ અને વિટામિન સીથી ભરપૂર જામફળ ખાવાથી પાચનની સમસ્યામાં મદદ મળે છે. પરંતુ જામફળ ખાધા પછી પાણી પીવું ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી પાચનક્રિયા બગડી શકે છે.
 
દાડમ (Pomegranate) - દાડમના લાલ દાણા શરીરમાં લોહી વધારીને અને ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવાનુ કામ કરે છે.  તેને ખાધા પછી ભૂલથી પણ પાણી ન પીવુ જોઈએ. જો તમે દાડમ ખાધા પછી પાણી પીશો તો તમને ઉલ્ટી, એસીડિટીની સમસ્યા થઈ શકે છે. 
 
ખાટા ફટ (Citrus Fruits) ખાટા ફળો જેવા કે નારંગી, આમળા, દ્રાક્ષ અને મીઠો ચૂનો  ખાધા પછી પણ પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી શરીરના પીએચ લેવલમાં ખલેલ પડી શકે છે. આ પાચન તંત્રને ખલેલ પહોંચાડી શકે છે.
 
તરબૂચ  (Watermelon) - શરીરમાં પાણીની કમીને પૂરી કરવા માટે તરબૂચ ખૂબ લાભકારી હોય છે.  હેલ્થ એક્સપર્ટના મતે તરબૂચ પોતે એક પાણીયુક્ત ફળ છે, પરંતુ જો તમે તેને ખાધા પછી પાણી પીઓ તો પાચનતંત્ર બગડી શકે છે. તેનાથી લૂઝ મોશનની સમસ્યા પણ થઈ શકે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

આગળનો લેખ
Show comments