Webdunia - Bharat's app for daily news and videos

Install App

નસોમાં જમા થયેલ હાઈ કોલેસ્ટ્રોલને બહાર કરે છે હળદર, તેની ચા પીવાથી દિલની તંદુરસ્તી સુધરશે

Webdunia
ગુરુવાર, 23 નવેમ્બર 2023 (00:25 IST)
આપણા રસોડામાં મળતી હળદર ખાવાનો સ્વાદ અને રંગ તો વધારે છે પરંતુ તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. હા, હળદર ત્વચાને નિખારવા ઉપરાત  રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે અને કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાને કારણે તમારે હાર્ટ એટેકથી લઈને સ્ટ્રોક જેવી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. વધતું કોલેસ્ટ્રોલ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે.
 
હળદરમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ અને કર્ક્યુમિન નામના પોષક તત્વો જોવા મળે છે, જે બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે. આ પોષક તત્વો તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. હળદર ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને તમારા હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. આવો અમે તમને જણાવીએ કે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે હળદરની ચા કેવી રીતે બનાવી શકાય અને તેનું સેવન કરવું.
 
આ રીતે બનાવો હળદરની ચા 
હળદરને કઠોળ, શાકભાજી, સૂપ અને દહીંમાં ઉમેરીને ખાઈ શકાય છે. પરંતુ હળદરની ચા પીવી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હળદરની ચા બનાવવા માટે કાચી હળદરના ટુકડાને ગરમ પાણીમાં મિક્સ કરો. જ્યારે પાણીમાં હળદરનો રંગ નીકળી જાય ત્યારે તેમાં કાળા મરી અને તજનો પાવડર નાખો. પાણી બરાબર ઉકળે એટલે તેને ગાળી લો અને હવે તેમાં મધ નાખો. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તેને પી શકાય છે. કોલેસ્ટ્રોલ ઉપરાંત હળદરની ચા રોગપ્રતિકારક શક્તિ વધારે છે, વજન ઘટાડવામાં મદદરૂપ છે, તેમાં રહેલા પોષક તત્વો મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. હળદરની ચા પીવાથી કેલરી ઝડપથી બર્ન થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. આ ઉપરાંત સાંધાના દુખાવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. સવારે આ ચા પીવાથી શરીરને એનર્જી પણ મળશે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments