Webdunia - Bharat's app for daily news and videos

Install App

Side Effects Of Jaggery - ફાયદા જ નહી નુકશાન પણ પહોંચાડે છે ગોળ, શુ તમે કરો છો સેવન તો જરૂર જાણો

Webdunia
બુધવાર, 4 ઑગસ્ટ 2021 (13:40 IST)
Side Effects Of Jaggery: તમે આજ સુધી જમ્યા પછી ગોળ ખાવાના અનેક ફાયદા સાંભળ્યા હશે. આયુર્વેદમાં ચિંતા, માઈગ્રેન, ડાયઝેશન અને થાક જેવી સમસ્યાઓનો ઈલાજ ગોળનુ સેવન કરીને કરવામાં આવે છે. ગોળ ખાવાથી વ્યક્તિના મેટાબોલિજ્મમાં જ નહી પણ તેના એનર્જી લેવલમાં પણ સુધાર થાય છે. આમ છતા શુ તમે જાણો છો ગોળમાં રહેલ સુક્રોજ અને કાર્બોહઈડ્રેટને કારણે તેનુ વધુ સેવન કરવાથી વ્યક્તિને ફાયદાને જગ્યાએ નુકશાન પણ પહોંચી શકે છે.  આવો જાણીએ ગોળનુ વધુ સેવન કરવાથી વ્યક્તિને આરોગ્યને લગતા કયા નુકશાન થાય છે. 
 
ગોળ વધુ ખાવાથી આરોગ્યને થાય છે આ નુકશાન 
 
- ગોળની પ્રકૃતિ ગરમ હોય છે. તેનુ વધુ સેવન કરવાથી આ અપચો, અથવા નાકમાંથી લોહી નીકળવા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. ઉનાળામાં વધુ ગોળ ખાવાનું ટાળો.
- જો તમે તમારા વધી રહેલા વજનથી છુટકારો મેળવવા માંગો છો તો ભૂલથી પણ વધુ ગોળ ન ખાશો. 100 ગ્રામમાં 385 કેલરી ધરાવતો ગોળ ચોક્કસપણે ડાયેટ કરનારાઓ માટે એક સારો વિકલ્પ નથી. જો તમે તેનું વધુ પડતું સેવન કરી રહ્યા છો તો તેનાથી તમારુ વજન વધી શકે છે.
-ગોળ મીઠો હોય છે, તેથી તેનો વધુ પડતુ સેવન કરવાથી તમારા બ્લડ સુગરનુ લેવલ વધી શકે છે. 10 ગ્રામ ગોળમાં 9.7 ગ્રામ ખાંડ હોય છે.
- જો ગોળ યોગ્ય રીતે તૈયાર કરવામાં ન આવે, તો તેમાં અશુદ્ધિઓ એટલે કે કીટાણુ પણ હોઈ શકે છે, જે તમારા આંતરડામાં કીડા પડવાનુ જોખમ વધારી શકે છે.
- તાજો બનેલો ગોળ ખાવાથી ઝાડા, અપચો અને કબજિયાત થઈ શકે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments