Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારમાં કોફી પીવાની ટેવ હોય તો ચેતજો!

Webdunia
સોમવાર, 4 માર્ચ 2024 (15:20 IST)
coffee
Coffee Empty Stomach :  બોમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં ક્યા સુપર કુલ હૈ હમ ની અભિનેત્રી નેહા શર્મા (Neha Sharma) એ પોતાની ડાયેટ પર વાત કરતા જણાવ્યુ કે એક સમયે તે દિવસની શરૂઆત એક કપ કોફી સાથે કરતી હતી. આ તેમની ખરાબ ટેવોમાંથી એક હતી. પણ હવે આદત બદલાઈ છે અને ગરમ પાણી તેમજ લીંબુથી સવારની શરૂઆત થાય છે. તેના એક કલાક પછી કોફી પીએ છે. શુ આપ જાણો છો કે સવાર સવારે કોફી પીવાની ટેવ ખરાબ કેમ છે ? તેનો મતલબ સવારે ખાલી પેટ કોફી (Coffee Empty Stomach) ન પીવી જોઈએ. . 
આવો જાણીએ ખાલી પેટ કોફી પીવાના નુકશાન 
 
હાર્ટબર્ન - ખાલી પેટ કોફી પીવાથી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. જેમા છાતીમાં બળતરા થવી પણ એક સમસ્યા છે. હાર્ટ બર્ન થી છાતીની વચ્ચે દુખાવો થઈ શકે છે. આવુ એટલા માટે થાય છે કારણ કે કોફીને કારણે પેટમા એસિડ બનવુ બંધ થઈ જાય છે અને પેટનુ પીએચ લેવલ ઓછી થઈ જાય છે. જો તમે દૂધ સાથે કોફી પીવો છો અને પેટમાં પહેલાથી જ કશુ છે તો નુકશાન ઓછુ થઈ શકે છે.  પીએચ લેવલ પણ વધુ ઓછુ થતુ નથી. 
 
કોફી અને કોર્ટિસોલનુ લેવલ 
સવારે ઉઠતા જ કૉફી પીવી ખૂબ નુકશાનદાયક છે. રિસર્ચ મુજબ જાગવાના એક કલાક સુધી શરીરનુ કોર્ટિસોલનુ ઉત્પાદન હાઈ હોય છે. આ બોડીને એક્ટિવ રાખવામાં મદદ કરે છે. કોફીમાં રહેલા કૈફીન કોર્ટિસોલના લેવલને વધારવાનુ કામ કરે છે. જ્યારે શરીર પહેલાથી જ હાઈ લેવલ પર કોર્ટિસોલનુ ઉત્પાદન કરી રહ્યુ છે તો આવામાં કૈફિન તેની ક્ષમતાને ઘટાડે છે. 
 
આંતરડા ના સિસ્ટમને કરે છે પ્રભાવિત 
અનેક રિસર્ચ દ્વારા જાણવા મળે છે કે જો તમારી ડાયેટ બેલેંસ છે અને તમે કોફી પી રહ્યા છો તો તેનાથી  કોલનને ઉત્તેજીત કરવા અને આંતરડાના કામને વધારવામાં પ્રોત્સાહન મળે છે. 
 
જો કે જો પેટ ખાલી છે અને તમે કોફી પીવો છો તો તેનાથી સાઈડ થઈ શકે છે. તેનાથી ઈરિટેબલ બૉવેલ સિંડ્રોમ 
(IBS) બગડી શક છે. 
 
કોફી પીવાનો યોગ્ય સમય કયો છે 
સૂઈને ઉઠવાના ઓછામાં ઓછા એક કલાક પછી જ કોફી કે ચા પીવી જોઈએ. બ્લેક કોફીને બદલે દૂધવાળી કોફી કે ચા પીવી જોઈએ. બ્લેક કોફીને બદલે દૂધવાળી કોફી પીવાથી આંતરડાના સિસ્ટમ પર પ્રભાવ ઓછો પડે છે. જો સવારે ઉઠ્યા બાદ તમે થાક અનુભવી રહ્યા છો તો તમારી ઉંઘ પૂરી કરવાની કોશિશ કરો અને વધુથી વધુ પાણી પીવો. જાગ્યા પછી કોફીને બદલે પાણી પીવુ લાભકારી હોય છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ